________________
૧૦૪
૧૮ ભગીરથ પ્રયત્ન સિવાય આત્મિક સુખ આપોઆપ આવી તમને ભેટી પડે એ ખ્યાલ સ્વમામાં પણ લાવશે નહિ. આ માટે તે આળસને કે પ્રમાદને દૂર કાઢે. આત્મિક વિશુદ્ધિને અટકાવનાર વિચારો અને આચારેને જલાંજલી આપે. અને આત્મ સત્તાગત વિશુદ્ધિને લક્ષમાં રાખી તેવા વિશુદ્ધ થવા વિભાવોનું વિસર્જન કરે.
૧૯ જે મહાન પુરુષો ઉચે માર્ગે ચડ્યા છે અને ત્યાંટકી રહ્યા છે તે મનુષ્યો કાંઈ એક ફલાગે કે એક કુદકે ચડયા નથી, પરતું ત્યારે દુનિયામાં મનુષ્યો ઘેર નિદ્રામાં ઘેરાતા હતા ત્યારે પણ તેઓ ઉચ્ચ માર્ગ તરફચડવાને પથ કાપતા જ રહ્યા હતા.
૨૦ આત્મજ્ઞાનના ઉપાસકાએ એકાંત અને ઉગ્ર આત્મ સયમનું સેવન કરવું જ જોઈએ. પ્રાણી માત્ર ઉપર દયા અને મનુષ્ય માત્રના દુખની દાઝ, એ બે લક્ષણે આ સ્વરૂપ પ્રાપ્તિનાં જીવન છે.
૨૧ ઉચ્ચ ભાવનાપી પાંખોવડે આનદ વર્ગમા, ઉડે, નિડર બનો, મહાન શક્તિઓની પ્રાપ્તિ સભવિત છે એમ દૃઢ માને, તન્ન શાંત અને ડાઘ વગરની જીદગી સંભવિત છે એમ શ્રદ્ધા રાખો, ઉચામાં ઉવું સત્ય મળી શકે છે એ વિશ્વાસ રાખે, આવું લક્ષ રાખી પ્રયત્ન કરનાર માનવ સ્વર્ગીય ઉચાઈ તરફ ઝપાટાથી આગળ વધે છે. પણ જેએનામાં આવુ શ્રદ્ધાન નથી તેઓ વહેમના ઝાકળમાં ભટકયાજ કરે છે, અને દુઃખ પામ્યા જ કરે છે.
૨૨ તમે જે જે વસ્તુઓના સબંધમાં આવે પ્રત્યેકનાં બાહ્ય સ્વરૂપ-ઉપાધિમાં જે કંઈ અપ્રિય દેખાય તે ઉપર અલક્ષ કરી, તેમના આંતર સત્તાગન શુદ્ધ આત્મા ઉપરજ લક્ષ આપે, આત્મા સ્વરૂપે શુદ્ધ છે, છતાં જે જે ઉપાધિદ્વારા મલીન દેખાય છે તે તે સર્વ ઉપાધિ