________________
૧૧૦
પક વિચારની તીણુ પરિણતીથી તેમજ આત્મભાવ પ્રત્યેની સ્થીરતાથી સમયે સમયે સયમ પરિણામ વૃદ્ધિ પામે છે.
૫૫ લેકેની સેબતથી, માનની ઇચ્છાથી, સ્ત્રીના પ્રસંગથી અને અજાગૃતીથી આત્મશક્તિ અવરાય છે, દબાય છે, અધપતન થાય છે.
૫૬ વસ્તુ ધર્મનું કે તત્ત્વજ્ઞાનનું શ્રવણ કે જાણપણું કરવાથી તરતજ અંતરાત્માપણું થતું નથી, તેમજ તે પ્રમાણે આચરણકે ગુણ - તરતજ પ્રાપ્ત થતા નથી. તેની દઢતા માટે પુનઃ પુનઃ , અભ્યાસની જરૂર છે.
પણ સારા વિચાર કરે. સારા કાર્યમાં પ્રયત્ન રાખો તે ખોટાં કૃત્ય કરવાને વખત નહિ મળે. જીદગી ચુકી છે બીજે વખત કાઢી નાખવાથી તે સફળ નહિ થાય. ઉદ્યોગની જરૂર છે. એક ભાખરી માટે જમીન ખેડવાદિકથી લઈ તૈયાર થવા પર્વતમાં કેટલી મહેનત પડે છે ? વિચાર કરે ત્યારે આત્મવિશુદ્ધિ માટે કેટલી મહેનતની જરૂર છે.
૫૮ આળસ મૂકે, થોડા પણ નિરતરના અભ્યાસધી અંકુરાથી લઈ આ મજબુત ઝાડપણને પામેલા વૃક્ષને તમે જુઓ. તે કેટલું બધુ આગળ વધ્યું છે કે થોડો વખત ઉદ્યમ કરી આગળ વધવામા તેણે આળસ કરી હતી તે તે આ સ્થીતિએ પહોંચી શકત ?
૫૯ પડી રહેલા લેટા ઉપર કાટ ચઢી જાય છે, તેમ આળસુ મનુષ્યનાં મન, વચન, અને શરીર આત્મહિત માટે નબળાં થઈ જાય છે. લેઢાની માફક તેને તે નિરતર સદુપયોગમાં લેવાં જ જોઈએ.
૬. ખેતર ન ખેડવાથી તેમાં જાળાં, ઝાંખરાં ઉગી નીકળે છે. તેતે સાફસુફ કર્યાથીજ– ખેડયાથીજ સારું રહે છે, તેમ મનુષ્યનું,