________________
૧૧૨
૬૭ કઈ પણ વસ્તુને સર્વથા નાશ થતો નથી, પણ પર્યાપ્ત બદલાય છે. પુદ્ગલેની આકૃતિ બદલાય છે, પણ તેના પરમાણું તે જગતમાં કાયમ જ રહે છે. આ રૂપાંતર થવું તેજ દરેક વસ્તુનો પુનર્જન્મ છે.
૬૮ સુખ દુઃખ એ પૂર્વ ક્રિયાને અનુસારે થાય છે, એ વાત સ્વાનુભવ સિદ્ધ છે, તે ગર્ભમાં આવ્યો તે કઈ ક્રિયાથી ? તે ક્રિયાને કાળ ગર્ભમાં આવ્યા પહેલાંનો માનવજ પડશે, એટલે ગર્ભમાં આવ્યા પહેલા જે જન્મ, તેજ આત્માને પુનર્જન્મ.
૬૯ આ જન્મે, આ મરી ગયે. આ આવ્યો તે કયાંથી અને ગમે તે ક્યાં ગયો ? આ ગતિ આગતિ પુનર્જન્મને જ સૂચવે છે.
૭૦ કાર્ય કારણનો વિચાર કરતાં કારણ પહેલું સભવે છે. તે આ માનવદેહરૂપ કાર્ય તેનું કારણ આ દેહ ઉત્પત્તિ પહેલાંજ માનવું પડશે. એજ પુનર્જન્મ.
૭૧ સવે, સુખીયાં શા માટે નથી ? સર્વે દુખીયાં કેમ થતાં નથી? રંક શા માટે થાય છે . આનું કાંઈપણ કારણ સમજાવશે આજ પુનર્જન્મ.
૭ર પર્યાયો અનિત્ય છે, તેમાં જરાપણ વિશ્વાસ કરવા જેવું નથી. સયોગો વિયોગશીલ છે. સંપદા અંતે વિપદારૂપ થાય છે. સ્વાર્થ એ મનુષ્યોમાં મુખ્ય દુર્ગુણ છે. પરમાર્થ સિદ્ધ કરવા તે ઉત્તમ સદ્દગુણ છે.
૭૩ ઓ અમર ધર્મવાળા આત્મા ! મરણું ધર્મવાળા શરીરમાં શા માટે આશક્તિ કરે છે? આ દેહને તે અવશ્ય ત્યાગ કરજ પડશે. જરૂર બીજે જવું પડશે. આ ઘરની આટલી બધી ચિંતા શા માટે કરે છે? આ ઘરના નાશથી તારે તો નાશ થવાનેજ નથી.