________________
૧૪૧
માયાઍક્લી જડની બનેલી આકૃતિ તથા જડ ચૈતન્ય મિશ્રિત વિવિધ પ્રકારની આકૃતિઓ.
૨૪ કાઈ વિષય ઉપર સ્પૃહાજ ન રાખવી એ મનને જીતીલેવાની ઉત્તમ યુક્તિ છે: મદોન્મત હાથીની માફ્ક મનને આ યુક્તિથી વશ કરી શકાય છે. અભ્યાસ નહિં કરનારને આ યુક્તિ ઋણ લાગે છે. સારી રીતે તેને અભ્યાસ કરવાથી આ યુક્તિ સરલ થઇ પડે છે. વિયેાની લાલસાવાળાને આ યુક્તિ નકામી થઈ પડે છે. જ્યાં સુધી વિષયેામાં નિસ્પૃહપણું પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પરિભ્રમણ ચાલુજ રહેવાનું.
૨૫ ભેપુદ્ગલાકારે ઉપયાગનુ નથા મનનું પરિણમવું.
અભેદઆત્માકારે મનનું પરિણમવું અથવા આત્મામાં તદ્રુપ થયું. જ્ઞાનીઓને માર્ગ અભેદ છે અજ્ઞાનીઓને માર્ગ ભેદ મય છે.. ભેદ ત્યાં સસાર અને અભેદ ત્યાં મુક્તિ છે.
સર્વ વ્યાપ સર્વ કાળમાં સર્વ સ્થળે મનનું અખંડ આત્માકાર પણે પરિણમવું. આત્મ ઉપયેાગમાંજ રહેવુ તે.
૨૬ આત્માના અવલેાકનથીજ આત્મામા મનને પરિણમાવવાથી ભાગા ઉપરથી અરૂચિ થાય છે. તે સિવાયની ક્રિયાથી ભાગાની પ્રાપ્તિ રૂપ શુભાશુભ ફળ પ્રાપ્ત થાય છે.
સ્વભાવ=આત્મ સ્વરૂપમાં સ્થિરતા અથવા આત્મ ભાવ. વિભાવ=પુદ્દગલાદિ આકારે પરિણમવું અથવા પુદ્ગલા.
૨૭ મનને તેની ઇચ્છાનુસાર ભટકવા દેવું. પછી મન ક્યાં ભમે છે તે તરફ લગાર લક્ષ આપવું. મનને ભટકવા દેવાથી અને આપણે તટસ્થ રહી જોયા કરવાથી તેની ચપળતા ધીમે ધીમે મદ પડે છે.