________________
૧ર૪
૪૭ ક્યા વિક્ષેપ થાય છે ત્યાં સ્વાર્થ બુદ્ધિ અવશ્ય છેજ. વિક્ષેપનું કારણ શોધતાં જવું. જેટલી વિવેકબુદ્ધિ તેટલુ તે દેખી શકાશે.
૪૮ મુશ્કેલીની ખાતર સ્થાન ન બદલે પણ સાથે રહીને મુશ્કેલીઓ સહન કરે. તેવા સયાગે પણ કારણસર જ મળે છે. તે તમારી કસોટીનું સ્થાન છે. કેટલા આગળ વધ્યા તેનું માપ કાઢનાર છે.
૪૯ કલેશ થાય ત્યા આપણી ભૂલ અવશ્ય થયેલી સમજવી. કાતે ગુણને અવગુણુ મનાય છે, કાં અવગુણને ગુણ ગણે છે તે આપણી ભૂલ શોધી કાઢી દૂર કર્યાથીજ શાંતિ થશે.
૫૦ મનમાં શાંતિ અને શરીરમાં પ્રવૃત્તિ રાખે. મરજી નહિં હેય છતાં પ્રવૃત્તિ કરવી પડે ત્યાં પરમાત્માની મરજી અગર કર્મને ઉદય સમજી કામ કરે પણ નારાજ થઈને કામ ન કરે.
૫૧ દુનિયામાં જ્ઞાન ભર્યું છે. સદ્દગુણ ભર્યા છે. જોઈએ તે લઈ લે. આપનાર કોઈ નથી. લેનાર જોઈએ. ઈચ્છા પ્રબળ કરે, જઈશ તે મળશેજ.
પર જેનું અભિમાન જેને છે તેને ક્ષય કરાવવા માટે તેવાં કાર્ય તે મનુષ્યદ્વારા કરાવવામા આવે છે. અર્થાત જેનું અભિમાન રાખશે તે કાર્ય અનિચ્છાએ પણ કરવું પડશે. અભિમાન તૂટવુજ જોઈએ.
પ૩ મનુષ્યો વિરૂદ્ધ થાય છે તેનું કારણ આપણે આગ્રહ તેડવાને છે. આપણું અભિમાન તેડવા માટે તેઓ સામા થાય છે. પક્ષ ખેંચે એટલે સામો પક્ષ ઉઠવાનો જ.
૫૪ અમુક પ્રક્રિયાથી જ સત્ય મળે આ કદાગ્રહની વાત છે. સત્ય કઈ સ્થળે બંધાતું જ નથી. તે અનેક રસ્તેથી પ્રાપ્ત કરી શકાય છે.