________________
૧૧૧
હદય પણ સંભાવનારૂપ શીરાથી–હળથી સસ્કારીને–ખેડીને સાફ ગખવુજ જોઈએ. નહિંતર કર્મક્ષ જાળાં, ઝાંખરા ઉગી નીકળી તે નિરુપયોગી અથવા દુઃખદાયી થઈ પડે છે.
૬૧ વહેતું પાણી નિર્મળ રહે છે. તેમાં ઝરણ આવે છે પણ બધજ પાણી બગડી જાય છે. ઝરણ બંધ થાય છે તેમ સાધુ, જ્ઞાન અને ધનને વહેતાં જ રાખવાં જોઈએ. એજ સ્થાને અને વપરાશ વિના રાખવાથી તેમાં વૃદ્ધિ ન થતાં ઉલટો બગાડ થાય છે.
૬૨ આ અસ્થિર માનવાદિ પર્યાયામાંથી મનુએ સ્થીર થવાને પ્રયત્ન અવશ્ય કરવો જ જોઈએ. આળસ દુઃખની માતા છે.
૬૩ આત્માને શરીર તથા મન ઉપર અંકુશ ન રહેવો એજ પરમ દુઃખનું કારણ છે. જેના ઉપર જન્મ મરણ અસર નથી કરી શક્તાં ત્યાંજ ખરેખર સુખ રહેલું છે. એટલે મેહ તેટલુજ દુખ, જેટલે હર્ષ તેટલા જ શેક.
૬૪ આ મહાન દુઃખનું કારણ કેવી જાતનું અજ્ઞાન હોવુ જોઈએ ? ગમે ત્યાં ભરાઈ એસ. કર્મોનું ફળ અવશ્ય મળશેજ. કામ્ય કર્મો કરતાં અટકવુજ જોઈએ. - ૬૫ એક વસ્તુનો ત્યાગ કરી, તેના અભાવમાં તેને બદલે તેના જેટલા પ્રેમથી બીજી વસ્તુનું સેવન થતું હોય, તે તે ત્યાગ નથી, પણ રૂપાતર છે. ત્યાગ એ હવે જોઈએ કે રૂપાંતરની આગ્રહપૂર્વક મદદ સિવાય ચલાવી લેવું જોઈએ. દરેક વસ્તુને ઉપગ સાધન રૂપે
કરવો જોઈએ. .
૬૬ વસ્તુનું ખરું સ્વરૂપ જાણ્યા કે સમજાયા છતાં કદાગ્રહ કે આગ્રહ કરે તે અનંતાનુબંધી કહેવાય છે. ક્રોધાદિ ઘટાડવામાંજ લાભ છે. જેમ કપાય ઓછા તેમ આવરણ એછુંજ થવાનું
0
1