________________
૧૧૩
૭૪ આ અનંત બળવાન આત્મા ! નિર્બળ વિચારોથી તારા બળનો નાશ નહિં કર. તું જેવી ઈચ્છા કરીશ તેવો થઈ શકીશ. અનંત બળવાન વીર પરમાત્માનું જીવન યાદ કરે અને તેનું પ્રબળ પ્રયત્ન અનુકરણ કર,
૭૫ એલા બાહ્ય ત્યાગથી શાંતિ મળવાની નથી. વિષયો સાથે શારીરિક સંબધ છાયા પહેલાં માનસીક સબધ અવશ્ય છોડવાજ જોઈએ. ત્યારે ખરી શાંતિ અનુભવાય છે. કેઈ અપેક્ષાએ બાહ્ય ત્યાગ પણ ઉપગારી છે.
૭૬ જનહિતાર્થે કામ કરવાં પડે તેમાં નિષ્ફળતા મળે છે સફળતા મળે તથાપિ હર્ષ શેકથી લેવાવું ન જોઈએ. જે મનુષ્યને માન અપમાન સરખુ છે તે ત્યાગ માર્ગના અને પરોપકારના માર્ગના શીખર પર પહોંચી શકે છે.
૭૭ આત્મ ઉન્નતિના ઈચ્છાએ, બાહ્ય સૃષ્ટિની પછાડી પડવું -દોરાવું વ્યર્થ છે. આખા વિશ્વનું મથન કરવાથી પણ આ બાહ્ય સૃષ્ટિમાંથી અત્માને સાક્ષાત્કાર કદી થવાનો જ નથી. તેને માટે તે પોતાના આત્માની જ પછાડી પડવું, અને તેને જ શુદ્ધ કરવો પડશે,
૭૮ વડના બીજમાં વડવૃક્ષને ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે. બીજમાં વડ દેખાતા નથી. તથાપિ જમીન, હવા, પાણું વિગેરે સામગ્રી મળતાં તે શક્તિ બહાર આવે છે. તેમ જ્ઞાનાંશ સત્તામાં રહેલા પૂર્ણ જ્ઞાનને પ્રગટ કરી શકે છે. જ્ઞાનના એક વિભાગપરથી બીજા વિભાગ ઉપર જઈ શકીએ છીએ તો તેના છેલ્લા ભાગ પર શા માટે ના જઈ શકીએ.