________________
૬
૪૭ મર્યાદાનું ઉલ્લઘન સર્વ બાબતમાં હાનિકારક છે. સદ્દગુણને ‘પણ મર્યાદા હોય છે અને તેનું અતિક્રમણ થતાં તે કેટલીક વાર દુર્ગુણ થઈ પડે છે. એકદર રીતે ઉપગી, નિર્દોષ કે આખરે ક્ષમા કરવા
ગ્ય બાબતો પણ મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી ત્યાજ્ય કે નિંદ્ય ચંઈ ગણાય છે.
૪૮ ઉદારતા એ સદગુણ છે પણ મર્યાદા કે વિવેક વગરની ઉદારતા એ ઉડાઉપણું ગણાય છે. તેવી જ રીતે ગજી ઉપરાંતિની હિમ્મત -એ અવિચારીપણામાં ખપે છે.
૪૯ દુર્ગણ એ એ ભયકર પિશાચ છે કે તેને જોતાં વેંતજ તેના તરફ તિરસ્કારની લાગણી ઉત્પન્ન થાય છે, પણ જો રેજ ને રોજ તેના તરફ જોયા કરીએ, તેની સાથે પરિચયમાં આવીએ તે શરૂઆતમાં આપણે તેની ઉપેક્ષા કરવા લાગીએ છીએ, પણું પાછળથી આપણું મનમાં તેના માટે દયા ઉત્પન્ન થાય છે અને આખરે આપણે તેને ભેટી પડીએ છીએ.
૫૦ દુષ્ટ પુરૂષોને શિક્ષા કરવા ઈશ્વર કાંઈ નવાં હથીયાર બના-વતું નથી પણ તેમના દુર્ગુણ વડે જ તેને શિક્ષા થાય છે. વ્યસની માણસેને તેનાં દુર્બસને જ ખરાબ કરે છે. પાપજ પાપીને ખાય છે.
- ૫૧ કઈ કઈ વખતે મૂર્ખાઈ પણ દુર્ગુણ કે વ્યસનના જેટલી જ ઘાતક નીવડે છે. દુનિયા ઉપરની ઘણું અનર્થ મૂર્ખાઈને પણ ભારી છે. એક માણસ બીજા માણસને મારી નાંખે, પછી તે પૈસાના લોભે, જુના વેર નિમિત્તે કે ગાંડછામા આવેશમાં, એ બધાનો નિર્ણય તેને કેવી સજા કરવી, કેટલે અંશે દેશપાત્ર ગણ, એ ગુન્હા શોધક ખાતાની બાબતમાં ઉપયોગી છે, પણ તેના થી જગતને નુકસાન થયું, એક જીવની હાની થઈ તેમાં તેને લીધે કશો ફેર પડતો નથી.