________________
૮૪
૬૮ જન્મ મરણનું ચક્ર છે તેને પણ કાયદે જાણવું જોઈએ. મુશ્કેલી એ છે કે કાયદે જાણને અટકી પડાય છે તેમ વર્તન થતુ નથી. કાયદો હાથમાં આવવાથી મુક્તિ થતી નથી તેથી બુદ્ધિને તે સંપ થાય છે. તે કાયદે આખા દેહમાં ઉતારીએ નહિં ત્યાં સુધી અનંતતાનું ભાન થતું નથી.
૬૯ છુટા છુટા શબ્દોમાં રસ નથી આવતું પણ તેની આખી કવિતા અથવા વાક્ય પૂરું થવાથી તેને ભાવ સમજાય છે. રસ સમજાય છે. વિચારની સકલના, સંગીત, તથા ભાવની આકૃતિ આ ત્રણ કવિતાના કાયદા સમજાય ત્યારે તેમાં રસ આવે છે આ કાયદો પણ મર્યાદિત છે. દૃશ્ય વસ્તુને અવલંબીને જ છે. જે થવું જોઈએ તેમાં ફેર પડતો નથી તે કાયદે બતાવે છે. માણસે કારણે વ્યાજ કરે, કાર્ય કારણમાં અટકી પડે તો તે કાયદે જુલમ કરે છે. કાયદાથી બચી ન જાઓ તે તમારું મગજ કાયદાના દબાણ આગળ રાંક બની જાય છે. તમારે તે વસ્તુસ્થીતિ આમ થવાની જ છે તે સમજી તેમાંથી છટકી જવું જોઈએ.
૭૦ કુદરતને કાયદો એ પહેલું પગથીયું છે. સૌંદર્ય કાયદાથી? પર છે. કાયદાની મર્યાદા સાથે રહીને પર જાય છે. છેડવાએ કુલ પેદા કરવું, કુલે ફળ પેદા કરવું. જે તે કામ ન કરે તે કુલને મરવું પડે છે. વિઘને ખસેડી આગળ ન વધે તો તેનું નામ નિશાન રહેવાનું નથી. વિઘ દૂર કરી આગળ વધતાં કુલ પછી ફળાદિ પેદા કરતાં કરીને તેમાંથી છેડવા ફલાદિપણ ઉત્પન્ન થાય છે. તેમ વિઘને દૂર કરી કામ કરે નહિં તે દુનિયામાંથી સદા માટે નાશ પામે. કામ કરવાથી શક્તિ ખીલે છે–શક્તિ બહાર આવે છે. તેનાથી આગળનાં મેટાં કામ કરવાનું બળ પ્રગટ થાય છે.