________________
૧૦૦
૧૦૧ સંપત્તિમાં પરિમિત્ત આચરણ રાખવું અને વિપત્તિમ ઘેર્ય રાખવું એ મહાન સદ્દગુણ છે.
૧૦૨ આત્મભાન ભૂલાવે તે કુસગ. આત્મ જાગૃતિ કરાવે તે. સત્સંગ.
૧૦૩ હે પુષ્પ ' તુ પ્રથમ વિકાશ તે પામ. ભમરાઓ તેની મેળેજ તારી તરફ ખેંચાઈ આવશે.
૧૦૪ અતીત ભાગને યાદ ન કર. અનાગતની ઈચ્છા ન કર અને મળેલ વિષયોમાં આનંદિત ન થા.
૧૦૫ આશા રહિત થા. મમતા મૂકી દે. કોઈની મદદની અપેક્ષા ન કર. સસર્ગ રહિત રહે. સ્વતંત્ર આત્માપર શ્રદ્ધા રાખ.
૦૬ આત્મવત સર્વને જે. મૌન કર. સહનશીલ થા. મેક્ષનું કારણ વેશ નથી પણ જ્ઞાન છે.
૧૦૭ લાભાલાભથી હર્ષશોક ન કર. સત્કાર અને લાભથી આપનારનાં બંધનમાં બંધાવું પડે છે. સર્વ જીવોને અભય આપ. તને ભૂત તરફથી ભય નહિ થાય. શિષ્યનાં બંધનમાં બંધાઈશ નહિં.
૧૦૮ જગતને જાગૃત કરવાની ઈચ્છા હોય તો પ્રથમ તમારા આત્માને જાગૃત કરે. જેટલા તમે જાગૃત થયા હશે તેટલાજ જગતને જાગૃત કરી શકશે. જેના ઉપર ઉભા રહી આખી પૃથ્વીને હલાવી શકાય એવુ સ્થાન તમારે આત્મા છે. સ્વરૂપમાં સ્થીર થઈ જે હીલચાલ કરશો તેથી આ જગત ને હચમચાવી શકશે.