________________
૧૮ ભગીરથ પ્રયત્ન સિવાય આત્મિક સુખ આપોઆપ આવી તમને ભેટી પડે એવો ખ્યાલ સ્વમામાં પણ લાવશે નહિ. આ માટે તે આળસને કે પ્રમાદને દૂર કાઢે. આત્મિક વિશુદ્ધિને અટકાવનાર વિચારે અને આચારોને જલાંજલી આપે અને આત્મ સત્તાગત વિશુદ્ધિને લક્ષમાં રાખી તેવા વિશુદ્ધ થવા વિભાવનું વિસર્જન કરો.
૧૯ જે મહાન પુરુષે ઉચે માર્ગે ચડ્યા છે અને ત્યાંટકી રહ્યા છે તે મનુષ્યો કાંઈ એક ફલાગે કે એક કુદકે ચડ્યા નથી, પરંતુ જ્યારે દુનિયામાં મનુષ્યો ઘેર નિદ્રામાં ઘેરાતા હતા ત્યારે પણ તેઓ ઉચ્ચ માર્ગ તરફચડવાનો પથ કાપતા જ રહ્યા હતા.
૨૦ આત્મજ્ઞાનના ઉપાસકાએ એકાંત અને ઉગ્ર આત્મ સયમનુ સેવન કરવુજ જોઈએ. પ્રાણી માત્ર ઉપર દયા અને મનુષ્ય માત્રના દુખની દાઝ, એ બે લક્ષણે આ સ્વરૂપ પ્રાપ્તિનાં જીવન છે.
૨૧ ઉચ્ચ ભાવનારૂપી પાંખેવડે આનદ વર્ગમાં ઉડે, નિડર અને, મહાન શક્તિઓની પ્રાપ્તિ સભવિત છે એમ દઢ માને, તન શાંત અને ડાઘ વગરની જીંદગી સંભવિત છે એમ શ્રદ્ધા રાખો, ઉચામાં ઉચુ સત્ય મળી શકે છે એ વિશ્વાસ રાખે, આવું લક્ષ રાખી પ્રયત્ન કરનાર માનવ સ્વર્ગીય ઉચાઈ તરફ ઝપાટાથી આગળ વધે છે. પણ જેઓના માં આવું શ્રદ્ધાન નથી તેઓ વહેમના ઝાકળમાં ભટક્યાજ કરે છે, અને દુઃખ પામ્યા જ કરે છે.
૨૨ તમે જે જે વસ્તુઓના સંબંધમાં આવે ને પ્રત્યેકનાં બાહ્ય સ્વરૂપ-ઉપાધિમાં જે કાંઈ અપ્રિય દેખાય તે ઉપર અલક્ષ કરી, તેમના આંતર્ સત્તાગત શુદ્ધ આત્મા ઉપરજ લક્ષ આપ, આત્મા સ્વરૂપે શદ્ધ છે, છતાં જે જે ઉપાધિદ્વારા મલીન દેખાય છે તે તે સર્વ ઉપાધિ