________________
સદા નિર્મળ હોય છે છતાં તેના સ્વભાવમાં જે વિકૃતિઃ દેખાય છે તે વાદળોના આવરણેથી ઉત્પન્ન થયેલી છે, તેમ નિર્મળ આત્મામાં નિર્મળજ્ઞાન સદા રહેલ છે છતાં તેને. સ્વભાવમાં જે વિકૃતિ દેખાય છે તે આઠ કર્મના આવર
ની કરેલી છે. વાદળ દૂર થવાથી જેમ ચંદ્રમાં તેની કાન્તિ પ્રગટ દેખાય છે તેમજ કર્મો દૂર થવાથી આત્માની અંદર શુદ્ધજ્ઞાન વિકાસ પામે છે.
જેમ પ્રચંડ પવન, સૂર્યની આડે આવેલાં વાદળને વિખેરી નાખે છે તેમ ચેાગી શુદ્ધ આત્માના વ્યાનવડે થાડી વખતમાં કર્મનાં આવરણાને વિખેરી નાખે છે.
જે રોગ વડે શુદ્ધ આત્માનું જ્ઞાન થાય છે તેને જ જ્ઞાનીઓ ચોગ કહે છે, તે યોગથી ઉત્પન્ન થતું સુખ સર્વ થી ઉત્તમ છે. તે સુખમાં કામ વાસનાની પીડા નથી પણ સમભાવ ભરેલ હેાય છે સ્થિરતા જામેલી હોય છે, તે સુખ આત્માની અંદર છે અને જન્મ મરણ તથા વૃદ્ધાવસ્થાનો નાશ કરનાર તે સખ છે. જેટલી પરાધીનતા એ બધું દુઃખ છે અને જેટલી સ્વાધીનતા એ બધું સુખ છે, આસુખ દુઃખનું ટુંકામાં લક્ષણ છે. આ ઉપરથી સમજવાનું એ છે કે પુન્યથી ઉપર થયેલા ભેગો, પુન્યને આધિન હોવાથી પરવશ હોવાને લીધે દુઃખ રૂપ છે પણ ચોગથી ઉપ્તન્ન થયેલું જ્ઞાન આત્માનું સ્વરૂપ હોવા સાથે સ્વાધીન હોવાથી તે સુખરૂપ છે. જેમ મેલથી