________________
આત્માથી જુદી કઈ વસ્તુના સંગ્રહની ખાત્રી આપે છે અને હું શબ્દ તેથી થયેલા અજીર્ણ યાને અહકારરૂપ વિકારનો ખ્યાલ આપે છે. આ બને સ્થાનમાં આત્મજાગૃતિનું નામ નિશાન જણાતું નથી. જ્યાં આ અધકાર હોય છે ત્યાં આત્મપ્રકાશ હોતા નથી અને જ્યાં ઓત્મપ્રકાશ આવે છે ત્યાં આ અંધકાર રહેવા પામતો નથી.
આત્મા સિવાય અન્ય વસ્તુની ઉપાધિમાંથી આ બન્નેની ઉત્તિ છે. જેમકે હું મનુષ્ય છુ, દુર્બળ છું, મજબુત છું, ગૌર છું, શ્યામ છું, ક્ષત્રીય છું, બ્રાહ્મણ છું, વૈશ્ય છું, શુદ્ર છું, વિદ્વાન છું, મૂર્ખ છું. ધનવાન છું, રેગી , નિગી છું, ગરીબ છુ ઈત્યાદિ જે જે વિચારે કરાય છે, મનમાં ચિંતન કરાય છે તે સર્વમાં પુગલીક વસ્તુની જ મુખ્યતા હેવા છતાં તેમાં મિથ્થા પણાનું મુખ્યતાએ સૂચન કરાય છે, અને મનાય છે. આવું ચિંતન કરવું તે અહકારના ઘરનું છે. તે દુનિયાને માર્ગ છે. પૂર્વને બદલે પશ્ચિમ તરફ લઈ જનારી એ લાગણુઓ છે. પ્રકાશને બદલે અંધકારમાં હડસેલનારે તે માર્ગ છે. આવા વિચારે કે લાગણીઓમાંથી જ રાગદ્વેષની ઉપત્તિ થાય છે. ઉધતાં ઉધતાં ચાલવાનો આ રસ્તો છે. આખા વિશ્વના મોટા ભાગ આ માર્ગે પ્રયાણ કરી રહ્યો છે, પણ એકશ રીતે હું કહું છું કે આ ભૂલાયેલો અને દુઃખને જ માર્ગ છે.
જે જાગૃત થયેલા મનુષ્ય દરેક ક્ષણે અહકાર વિનાની સ્થિતિમાં રહે છે, તેઓ સ્વસ્વરૂપમાં સ્થિરતા કરવા રૂ૫ અદ્વૈત માર્ગે થઈને પોતાના શુદ્ધ ચિપને પામે છે એમાં જરા પણું સંશય નથી. તેઓ એમ વિચાર કરે છે કે, દેહ હું નથી, કર્મો હુ નથી, મન હુ નથી, વચન હું નથી, હું બ્રાહ્મણ નથી, હું ક્ષત્રીય નથી, હુ વૈશ્ય નથી, હું શુદ્ધ