________________
૧૦ વામાં આવે છે તે બેજારૂપ થઈ પડેછતાં તેનાં બીજો બાલ્યાવસ્થામાં વાવવાની જરૂર છે.
૫૭ વિય ભોગોની પસંદગી કરતી વખતે એ નિયમ ખાસ લક્ષમાં રાખવો, કે વિષયોને ઉપભોગ એવી રીતે કરે છે તેથી ભવિષ્યનાં સુખ કે આનંદના ઉપભોગને બાઘા કર્તા થઈ પડે નહિં.
૫૮ જે માણસ યુવાવસ્થામાં અત્યંત મદ્યપાન, વિષયાશક્તિ, જુગાર, ઉડાઉપણું, સ્વેચ્છાચાર વિગેરે દુર્ગુણેના સેવનમાં સુખ અને આનંદ માને છે, તેને જન્મારે ખરાબ થયા સિવાય રહેતો નથી.
- ૫૯ વાંચનને શેખ આનંદનાં દ્વાર ખુલ્લા મુકવાની મહાન, સત્તા ઘરાવે છે. મંદવાડ અને નબળાઈને લીધે એકાંત વાસમાં સડતા આજારીના મનને રજન કરવાનું તે મુખ્ય સાધન છે. નિદ્રા વગરની રાત્રીના શન્ય પિહેરને તે પ્રકાશીત કરે છે. મનમાં સુખદાયિ વિચારોનો સંચાર કરે છે. વિષાદ અને ગ્લાની મટાડે છે. ક્રિયામાં અશક્ત અથવા વ્યવસાયી જીવનના કામ વગરના અવકાશને અંગે રહેલી બેચેનીને તે ખસેડે છે. કાંઈ નહીંતા થોડા વખતને માટે પણ મનુષ્યની ફિકર ચિતાનો નાશ કરે છે. આ વાંચનના શેખનું વિવેક પૂર્વક પિષણ કરવામાં આવે તે ચારિત્ર કેળવવાનું વિચારને ઉમદા અને વ્યવસ્થિત બનાવવાનું તે અત્યંત બળવાન સાઘેન થઈ શકે છે. વાંચનને શોખ બીજી જાતના આનંદને પણ પુષ્ટી આપે છે. જ્ઞાનની મર્યાદા વિસ્તૃત થાય છે. સહાનુભાવની તથા ગુણની કદર કરવાની વૃત્તિ તેથી બળવાન થાય છે. સોબત, પ્રવાસ, કળા, કૌશલ્ય ઈત્યાદિ મારફતે મળતા આનંદમાં અને સંસાર રૂપી નાટ્ય ભૂમી ઉપર બનતા અનેક બનાવોમાં હિત ધરાવતા શીખવાના ગુણેમાં બેસુમાર સુધારે વાંચનથી થાય છે.