________________
૩૩ ઈચ્છા ન કરવી અને ખાનગી તથા જાહેર વર્તનમાં હમેશાં ભલમનસાઈ વાપરવી.
૮૭ ક્ષમા કરવામાં શક્તિ સામર્થ્યને ખપ પડતો નથી પણ માત્ર ઈચ્છાની જરૂર પડે છે. આપણે અપરાધ કરનાર, આપણને પિતાને અપરાધ ક્ષમા કરવાની, તથા પિતા ઉપર આપણું ક્ષમા રૂપી દૈવી ગુણનો ઉપયોગ કરવાની આપણને તક આપે છે, એ રીતે તે આપણે ઉપકારી છે. ક્ષમા સાધુ પુરૂષનું લક્ષણ છે. વેર વાળવાની વૃત્તિ એ પામર જીવનું કામ છે.
૮૮ અપકારના બદલામાં ઉપકાર કરનાર એ સાધુ પુરૂષના નામથી ઓળખાય છે. આપણે બીજાના અપરાધની ક્ષમા ન કરીએ, તે આ પણને પરમાત્મા પાસે ક્ષમા માંગવાનો અધિકાર રહેતો નથી.
૮૯ વેર લેવાની ટેવ રાખવામાં ફાયદો અનિશ્ચિત છે, અને નુકસાન તો ચોક્સ છે. ક્ષમા કરીને શત્રુને ઠેકાણે લાવે એ વેર લેવાને સુંદર ઉપાય છે.
૯૦ ઇ સર્પના વિષ કરતાં પણ વધારે અનર્થકારક છે, કારણ કે સર્પનું વિષ સને નુક્સાન કરતું નથી, પણ ઈર્ષા તો તેના માલીકને પણ નુક્સાન કરે છે.
૯૧ સાચે સ્નેહી મિત્ર બે રીતે ઉપયોગી છે, તેને સમાગમ સંપત્તિને વિશેષ સુખદાયિ બનાવે છે અને વિપત્તિને સુસહ્ય બનાવે છે. સુખના દિવસમાં મિત્રને સહવાસ આનંદમાં વધારો કરે છે. દુઃખના. દિવસમાં દુઃખનો વિસારે કરાવે છે.
૯૨ આફત વખતે મિત્રને પડખે રહી તેનું રક્ષણ કરવું, સંકટ વખતે સહાય કરવી અને દુઃખમા દિલાસે આપ, કારણ કે ખરા