________________
૪૦
પર્વતના શિખર તરફ દષ્ટી કરે છે, કે તરતજ તેમનાં સંસારનાં સંકટ પલાયન કરી જાય છે.
૧૬ સ્વચ્છ અને વાદળાં વિનાના દિવસે, શાન્તિના સમયમાં, ખુલ્લા મેદાનમાં કે ઉપવનમાં વિશ્રાંતિ લેવા છતાં, જે ચિતાનું શમન ન થાય તે ચિતા અત્યંત ધાર સમજવી જોઈએ. સુદર આંખા છતાં તેનું મન ચિંતાના ઉદ્યોગમાં કેમ રહી શકતું હશે તે સમજાય એમ નથી. ૧૭ સૃષ્ટિને જ્યાં સુધી મનુષ્યને હાથ અડકતા નથી, ત્યાં સુધી તેના સૌંદર્યમાં જરા પણ ઘટાડા થતા નથી. તમારા કૃત્યથી થયેલા ઘા અગર કાપા આપેાઆપ રૂઝાઈ જઈ અને સૃષ્ટિ ટુંક મુદ્દતમાં હતી તેવીને તેવીજ શાભાયમાન થઈને રહેશે.
૧૮ કુદરતના ચમત્કાર સર્વના નિરીક્ષણ માટે હમેશાં ખુલ્લાજ રહે છે અને તે માણસની સર્વોત્તમ કૃતિ કરતાં પણ વિશેષ આશ્ચયૅકારક અને સુંદર છે, છતાં ફક્ત ચેાડાજ માણસો તેનું અવલોકન કરવાની કાળજી રાખતા હાય છે એ કેટલું બધું ખેદકારક છે ?
૧૯ જગત્ ઉપરનું પ્રત્યેક સ્થળ કળા કૌશલ્યની કારીગરીની અસંખ્ય કૃતિઓથી ભરપૂર છે, છતાં જે માણુસ તે રહસ્યને સમજી લેવાની શક્તિ ધરાવતા નથી, તેને મન તે સધળુ નકામું છે. આ જગત્ ઉપર નિર્દોષ આનંદનાં એટલાં બધાં વિપુલ સાધના નથી, કે જેથી આપણને આવા એક સર્વોત્કૃષ્ટ સાધનના અનાદર કરવાનું પાલવે. ૨૦ કુદરતને આદરભાવપૂર્વક અભ્યાસ કરવાથી મનુષ્યજીવનને અંગે રહેલા સુખ સાધનેામાં કેટલા બધા વધારા કરી શકાયા છે, તે ફક્ત વિજ્ઞાનશાસ્ત્રીએજ સમજી શકે છે.
'
૨૧ જે માણસ કુદરતને સચાટ પ્રશ્નો પૂછવાની શક્તિ નથી ધરાવતા, તેને તે પેાતાનું સુંદર રહસ્ય સમજાવવાની ખીલકુલ દરકાર