________________
૧૬૮
જ્ઞાનમાં નિત્ય લીન રહે છે તેવા મનુષ્યમાં આસક્તિને અભાવ હોવાથી ભેગે તેને સંસારના કારણરૂપ થતા નથી. બુદ્ધિમાન મનુષ્ય ઝાંઝવાનાં પાણુંને અસત્ય માને છે અને તેના તરફ પાણી માનીને તે લેવા માટે પ્રવૃત્તિ કરતું નથી, તેમ વસ્તુગતે જેઓ આ સંસારના ભેગેને માયા જેવા જાણે છે તેઓ તે ભામાં રહેવા છતાં પણ તેનાથી લેપાતા નથી. તાત્વિક દષ્ટિએ જેઓ ભેગેના ખરા સ્વરૂપને દેખે છે તે ભવસાગરમાં પાછા આવતા નથી. જેના તરફ જેને અભાવ થયે છે તે વસ્તુ તરફ તેઓ પ્રવૃત્તિ કરતા નથી. ઝાંઝવાના પાણીને બરાબર ઓળખનાર છે તેના તરફ પ્રવૃત્તિ કરશે ખરો કે? નહિં જ, પણ જે મનુષ્ય ઝાંઝવાના પાણીને પાણી છે કે બીજું છે ? તેવી શંકાવાળે થઈને જે હું તે તરફ પાણી લેવા જઈશ અને તે નહિં મળે તે આ થશે, અથવા તે સાચે સાચું પાણી હશે અને હું તે તરફ પાણી માટે નહિં જાઉં તે પાણી વિના રહીશ, આમ સંશચવાળા ભયથી ઉગી થઈ ત્યાંજ ઉભું રહે છે, તેમ નિવણના માગમાં પણ ભયથી ઉગ પામેલા જીવ, મોક્ષમાં તાત્વિક સુખ હશે કે કેમ ? તે શંકાને લીધે પ્રવૃત્તિ કરતું નથી, અથવા ત્યાં તાવિક સુખ–પરમશાંતિ હશે તે હું તે વિના રહી જઈશ, અથવા ત્યાં શાંતિ નહિં હોય તે આ વર્તમાન કાળમાં મળેલા ભેગેને ત્યાગ કરીને છેવટે હું દુઃખી થઈશ, આમ સંશયાત્મક થઈને ત્યાંથી આગળ ન વધતાં છેવટે