________________
દેવમનુષાદિને રજન કરવામાં અથવા દેહાદિનું પિપણ કરવામાં આયુખના અમૂલ્ય દિવસો નકામાં પસાર કરે છે, પણ શુદ્ધ આત્માના ચિતનમાં કે તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારા કોઈ વિરલ જીવોજ હેય છે.
જે જે ક્રિયાઓ કરવામાં આવે તે તે ક્રિયાઓ શુદ્ધ આત્માની પ્રાપ્તિના કારણ રૂપ છે કે નહિં? તેને વિચાર કરી તેમાં મદદરૂપ કે સાધન રૂપ હોય તો તે ક્રિયા કરવી. તેની વિધી ક્રિયા હોય તો ન કરવી. આત્મા જ્ઞાતા અને દશ રૂપ છે, તે આત્મા પિતાને જ સેય અને દસ્થ રૂપે બનાવી, તેમાં જ ચિત્તને ધારી રાખવાથી ઉત્તમ જ્ઞાન દર્શનનો લાભ ઘણી સહેલાઈથી મેળવે છે. આત્મ પ્રાપ્તિના ઉપાયરૂપ જે કાઈ હોય તે સર્વ આત્માને પ્રિય હોવું જોઈએ. કેમકે તે તેને જ અર્થી છે, તેમાં પ્રીતિ ન હોય તો તે વસ્તુ મળી શકતી જ નથી.
જેમ આંધળા આગળ નાચવુ અને બહેરા આગળ ગાવું નકામુ છે, તેમ જેનુ મન, બહાર વિષયોમાં ભટક્ત છે તેની આગળ શુદ્ધ આત્માની વાત કરવી તે નિરૂપાગી છે.
ભુખ્યા અને તરસ્યા આગળ ભજન તથા પાણી ધરવાં તે જેમ સફળ છે તેમ આંતર્ દષ્ટિ કે આંતર્ વૃત્તિવાળાની આગળ શુદ્ધ આત્માની વાત કરવી તે હિતકારી છે.
શુદ્ધ ચિપની પ્રાપ્તિના અનેક ઉપાય છે પણ તેમાં ધ્યાન સમાન. બીજો કોઈ ઉપાય ઉપયોગી થયું નથી અને થશે પણ નહિં.