________________
૩૪
શિક્ષા કર, તેને સુધાર. તેને સુધારવા માટે તે શુદ્ધ આત્માના ઉપયેાગમાં તદાકાર પરિણમી રહે. મેાહનું નજીકનું પ્રથમ સ્થાન તારૂં શરીર છે. તેના વિચાર કર. જેતે સુખી કરવા માટે રાત્રી દિવસ ન કરવાનાં કાર્ય કરે છે, અનેક જીવાના સંહાર કરે છે, અનેક જીવોને કો આપે છે, રાગદ્વેષ કરે છે, તે શરીરની ઉત્પત્તિને વિચાર કર. દુર્ગંધી અને મળના ભાજન રૂપ વીર્ય અને રજમાંથી અમુક વિધિ વડે બનેલુ અને પેાતાની ઈચ્છાનુસાર મનુષ્યોએ અમુક નામ આપેલું તે આ શરીર તારૂં કેવી રીતે થઈ શકે ? તેનું કા વર્ણન કે સ્તુતિ——કરે કે ક્રાઇ નિંદા કરે તેનાથી તને શા લાભ ? અને કઈ જાતની હાની ? આત્મ દેવ ! તમે તો શુદ્ધ ચિદ્રપ છે! એટલે તત્ત્વથી તે સ્તુતિ કે નિંદાએ શરીરનીજ છે, તમારી નથી.
અહા ! મેહને લઈ આત્મભાન ભૂલેલા વા, કાઈ કીર્તિને માટે વલખાં મારે છે, કાઈ ખીજાને ખુશી કરવા પ્રયત્ન કરી રહયા છે, ભાટ ચારણની માફક હાજી હા કહી તેનાજ રાજીયા ગાયા કરે છે, કૈાઈ ઈન્દ્રિયાના વિષયો મેળવવા તલપી રહ્યા છે, કાઈ આ શરીરને લાંમા વખત ટકાવી રાખવા વિવિધ પ્રકારની ઔષધીઓ અને માત્રાનું સેવન કરી રહ્યા છે, કેાઈ વશ વધારવા માટે અનેક ખાવા . જોગી પાસે .ભટકી રહ્યા છે, કાઈ ધન સંચય કરવા માટે દેશ પરદેશ ખેડી રહ્યા છે, કાઈ ધનના રક્ષણ માટે હુથીયારથી સજ્જ કરેલા પહેરેગીરને ઘરની 'ચારે બાજુ ગોઠવી રહ્યા છે, કાઈ પડિતતા મેળવવા અનેક પુસ્તકા અને ભાષાએ શીખી રહ્યા છે, કાઈ પાતાના વાડાના રક્ષણને માટે અનેક વિધિ નિષેધની મેાટી મોટી દીાલા ચણી રહ્યા છે અને વાડામાં બકરાંઓને પુરે તેમ અજ્ઞાની મનુષ્યાને ભરમાવીને—વિવિધ
k