________________
૧૭૩
જીવ અને કર્મને અન્ય અન્ય વૃધ્ય ઘાતક સંબંધ નથી. એક મરનાર અને બીજે મારનાર આવા સંબંધને વધ્ય ઘાતક સંબંધ કહે છે. આ સંબંધ જીવ અને કર્મને નથી પણ સંગ સંબંધ છે. તેથી જ બને જુદાં પડી શકે છે. પણ એક બીજાના ગુણનો નાશ કરતાં નથી. અર્થાત્ કર્મો જીવના ગુણેનો નાશ કરતાં નથી અને જીવ કમના ગુણોને નાશ કરતાં નથી, પણ એક બીજાની સાથે એકરસ થઈને ભેગાં મળીને રહે છે. જીવ અને કર્મમાં પરિણામ થયા કરે છે, તે પરિણામમાં જ્યારે એક બીજાની નિમિત્તતા રહેતી નથી ત્યારે પરસ્પર જોડાઈ રહેલા જીવ અને કર્મનું જુદા થવાપણું થાય છે, અને તેનેજમેક્ષ કહે છે.
પુદ્ગલના જ્ઞાનાવરણું દર્શનાવરણ આદિ પરિણામ થવામાં, આત્મામાં થતા રાગ દ્વેષાદિ પરિણામ નિમિત્ત કારણું છે, અને આત્માને થતા રાગદ્વેષાદિ પરિણામમાં જ્ઞાનાવરણ આદિ પરિણામ નિમિત્તકારણે છે. જ્યારે પુગલ આત્માના પરિણામમાં કારણ રૂપ થતાં નથી અને આત્મા પુગલના પરિણામમાં કારણ રૂપ થતો નથી, ત્યારે આત્મા અને કર્મ અને જુદા પડે છે.
આત્માને આત્માકારે પરિણમા. . સ્ફટિક મણિની માફક આત્મા જે જે ભાવે સાથે જોડાય છે. ત્યાં ત્યાં તે તે ભાવે તમય ભાવને પામે છે,