________________
૧૬૮
જ્ઞાનમાં નિત્ય લીન રહે છે તેવા મનુષ્યમાં આસક્તિને અભાવ હોવાથી ભોગે તેને સંસારના કારણુરૂપ થતા નથી. બુદ્ધિમાન મનુષ્ય ઝાંઝવાનાં પાણીને અસત્ય માને છે અને તેના તરફ પાણી માનીને તે લેવા માટે પ્રવૃત્તિ કરતા નથી; તેમ વસ્તગતે જેઓ આ સંસારના ભોગેને માયા જેવા જાણે છે તેઓ તે ભાગોમાં રહેવા છતાં પણ તેનાથી લેવાતા નથી. તાત્વિક દષ્ટિએ જેઓ ભેગેના ખરા સ્વરૂપને દેખે છે તે ભવસાગરમાં પાછા આવતા નથી. જેના તરફ જેને અભાવ થયો છે તે વસ્તુ તરફ તેઓ પ્રવૃત્તિ કરતા નથી. ઝાંઝવાના પાણીને બરાબર ઓળખનાર શું તેના તફે પ્રવૃત્તિ કરશે ખરો કે? નહિં જ, પણ જે મનુષ્ય ઝાંઝવાના પાણીને પાણી છે કે બીજી છે ? તેવી શંકાવાળે થઈને જે હું તે તરફ પાછું લેવા જઈશ અને તે નહિં મળે તે આંટે થશે, અથવા તે સાચે સાચું પાણી હશે અને હું તે તરફ પાણી માટે નહિં જાઉં તે પાણી વિના રહીશ, આમ સંશચવાળા ભયથી ઉગી થઈ ત્યાંજ ઉભું રહે છે, તેમ નિવણના માર્ગમાં પણ ભયથી ઉગ પામેલો જીવ, મેક્ષમાં તાત્વિક સુખ હશે કે કેમ ? તે શંકાને લીધે પ્રવૃત્તિ કરતું નથી, અથવા ત્યાં તાત્ત્વિક સુખ–પરમશાંતિ હશે તો હું તે વિના રહી જઈશ, અથવા ત્યાં શાંતિ નહિં હોય તે આ વર્તમાન કાળમાં મળેલા ભેગેને ત્યાગ કરીને છેવટે હું દુઃખી થઈશ, આમ સંશયાત્મક થઈને ત્યાંથી આગળ ન વધતાં છેવટે