________________
૫૩
કારણે છે–આશ્રવ છે. સુખ આત્મામાં છે. સુખના કારણે પણ આત્માના પરિણામ છે. શુભ પરિણામે જીવ પુન્ય ઉત્પન્ન કરે છે. જુએ કે આ પુન્ય પણ આશ્રવ છે. કર્મ છે, છતાં વ્યવહારિક સુખનું મૂળ કારણ આ પુન્યવાળાં શુભ પગેલે છે, તે હોય તેજ સ્ત્રી, પુત્ર, પતિ, ધન, લાજ, આબરૂ, કુટુંબ વિગેરે સુખનાં કારણ થાય અને તે પુન્ય ન હૈોય છે જે પોતાની પાસે અનુકૂળ સંચાગે હોય તે ચાલ્યા જાય અથવા પ્રતિકૂળપણે પરિણમે, સુખને બદલે દુઃખદાઈ થાય. તે વસ્તુ બની રહે તે પણ પાપના ઉદયે તેને અશાંતિનું જ કારણે થાય. આમ બધું પ્રત્યક્ષ અનુભવાય સમજાય તેવી વાત છે છતાં જીવ આ વાતને સમજો કે તે પ્રમાણે જરૂરીયાતો માટે પ્રયત્ન કરતે નથી તે પછી એ પુન્ય. પણ પરદ્રવ્ય છે, એ પણ દગો દેનાર છે, નાશ પામે તેવું છે, તેને પણ ત્યાગ કરી કેઈ દિવસ નાશ ન પામે તેવું સ્થાયી પરિણામે સદા શાંતિ આપનાર આત્મિક સુખ તેજ સાચું સુખ છે, તે સમજવા કે મેળ-વવા સર્વ પદ્રવ્યને ત્યાગ કરવા આ જીવ કેમ તૈયાર થઈ શકશે? અર્થાત્ વ્યવહારમાં પરદ્રવ્ય સુખદુઃખમાં નિભિન્ન કારણ છે પણ ખરી રીતે તે પિતાની લાગણીઓજ સુખદુ:ખમાં કારણરૂપ છે તેને જ સુધારવાની જરૂર છે. એવા શુભાશુભ પરિણામે આત્માએ પરિણમવું જ બંધ કરવું જોઈએ, તેથીજ આવતા આશ્રવ બંધ થાય તેમ છે. આ