________________
૧રક
જઈને રહે છે. આ આઠે કર્યો આત્મ પ્રદેશથી સદાને માટે છુટા થાય તેને મોક્ષ કહે છે.
વ્યવહાર દૃષ્ટિએ શુલ ધ્યાન કર્મોને નાશ કરે છે, કેવલ જ્ઞાન ઉત્પન્ન કરે છે અને મોક્ષ પણ પ્રાપ્ત કરે છે. એમ કહેવાય છે. નિશ્ચય દષ્ટિએ તે આત્માને કર્મ લાગતાં જ નથી એટલે નવીન મેક્ષ પ્રાપ્ત થતું નથી. આત્મા મોક્ષ સ્વરૂપજ છે એટલે કર્મોને નાશ અને મોક્ષ પ્રાપ્તિ થતી નથી, આ કથન અપેક્ષાએ ચગ્ય છે.
કર્મો દૂર થવા પછી રાગદ્વેષાદિની ઉત્પત્તિ થતી નથી તેથી કર્મો જવા પછી આત્મા શુદ્ધજ બચે રહે છે. કર્મોને સંગ અને રાગદ્વેષાદિ આત્માની સાથે નિત્યપણે જોડાયેલાં નથી. અર્થાત્ આત્મા અને કર્મને અભેદ સંબંધ નથી પણ સંગ સંબંધ છે અને તેથી જ કર્મો આત્માથી દુર થઈ શકે છે.
મુકતાત્મા સંસારમાં આવતું નથી,
મોક્ષ અવસ્થાને પ્રાપ્ત થયેલ અને અવ્યાબાધ (કદી નાશ ન પામે તેવાં અને બાધા પીડા વિનાના સુખમાં મગ્ન આત્મા ફરીને સંસારમાં આવતો નથી. ખરી વાત છે કે સદા સુખદાઈ સ્થાનને–પદને ત્યાગ કરીને દુઃખદાઈ સ્થિતિને કહ્યું સ્વીકાર કરે ?
અર્થાત કેઈજ નહિં શરીરના કારણભૂત કર્મો નાશ પામવા પછી તે સિદ્ધ આત્મા ફરીને શરીર ગ્રહણ કરતે