________________
હવે તેમની પાસે પુસ્તક હોતાં નથી તેથી બધું જ્ઞાન તેમને મેહેજ હોય છે. ૩
ચેથી એકત્વ ભાવનાને તેઓ કેળવે છે. પ્રથમ સાધુના સમુદાયમાં રહેવા છતાં પણ તેનાથી અલગ હોય તેમ પરસ્પર આલાપસંલાપ કરવા, અન્ય અન્ય કથા પ્રબંધ કરવા આદિબંધ કરે છે. આ પ્રમાણે બારાઉપરથી મમત્વ ત્યાગે છે અને દેહ ઉપાધિ આદિ અત્યંતર મમત્વને પણ આત્માથી ભિન્ન જાણીને છેવટે તેને ત્યાગ કરે છે. આ પ્રમાણે એકવ ભાવના કેળવ્યાથી જંગલોમાં વનમાં સમશાન આદિસ્થળે એકલા રહેવાનો પ્રસંગ આવે છે ત્યારે તેમને તે વિષે જરાપણ બેચેની જેવું કે અણગમતું લાગતું નથી પણ એકાંતવાસ તેમના જ્ઞાન ધ્યાનના વધારામાં મદદગાર થઈ પડે છે. ૪
પાંચમી બળ ભાવનાની તેઓ તુલના કરે છે–કેળવે છે. આ ભાવના કેળવવાની મુખ્ય જરૂર એ છે કે જંગલમાં, ટાઢ, તાપ, વર્ષોની ઠંડી સદીઆદિમાં અને તેમાં પણ વસ્ત્રને પણ અભાવ હોય તેવી સ્થિતિમાં તેમને રહેવું પડે છે. એટલે અત્યારના વખતના મોટા કસરત બાજ ના જેવા તેઓ પોતાના અવયવોને દઢ બનાવે છે, જેને લઈને તેઓને ટાઢ તાપ કે સરદીની જરાપણ અસર થતી નથી.
એટલે જિન કલ્પી સાધુઓનું શરીર બળ બીજ કરતાં બજ મજબુત થાય છે તે સાથે મનોબળ પણ મજબૂત