________________
૧૫૦
તેઓની પ્રવૃત્તિ અંધ માણસના જેવી છે. જેઓ પોતે જ્ઞાન વિના ખરે માર્ગ જાણું શકતા નથી. તેઓ બીજા પોતાના આશ્રિતને કેવી રીતે આગળ વધારી શકશે? તેમજ જે જ્ઞાનના જાણકાર હોવા છતાં પિતે તે માર્ગમાં પ્રવૃત્તિ કરતા. ન હોય તેઓ પણ પ્રભુના માર્ગના નાયક થવાને લાયક નથી, જ્ઞાન દેખતું તો છે પણ યથાયેગ્યપણે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરતું ન હોવાથી ચાલવાની તાકાત વિનાનું તે જ્ઞાન પાંગળું છે. માટે આત્મજાગૃતિથી ભરપૂર તેમજ તત્ત્વજ્ઞાન અને ઉત્તમ ચારિત્રમાં પ્રવૃત્તિવાળા ગુણવાન ગુરૂની પાસે આત્મ કલ્યાણના ઈચ્છક એ સંસારથી પાર પામવા માટે ચારિત્ર ગ્રહણ કરવું અને તેમની પાસે–તેમની નિશ્રાએ રહેવું.
પાંચ મહાવ્રતો પાળવા સાથે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું. તે ચાલતાં વનસ્પતિ કે ત્રસ આદિ કઈ જીવની હિંસા કે તેને દુઃખ ન થાય તેની સંભાળ રાખવી, તેવા જીવાળી જમીનથી પડખે થઈને ચાલવું. ચાલતા સાડાત્રણ હાથ જમીન ઉપર દષ્ટિ પડે તેવી રીતે. નીચી દષ્ટિ કરીને ચાલવું. ૧. બાલવામાં બહુજ સાવચેતી રાખવી, બની શકે ત્યાં સુધી વગર કારણે ન બોલવું,
લવું પડે તે પ્રિય, સામાને હિતકારી અને સત્ય બોલવું તે સિવાય મૌન રહેવું. ૨. ગૃહસ્થ પોતાને માટે ભોજન તૈયાર કર્યું હોય તેમાંથી સાત્વિક આહાર બેંતાલીશ ષ