________________
૧૫૮
આગમ જ્ઞાન.' જ્યાં સુધી પ્રત્યક્ષજ્ઞાન–કેવલજ્ઞાન પ્રગટ થતું નથી ત્યાં સુધી પદાર્થોને નિશ્ચય આગમથી–શાસ્ત્રોથી થાય છે, માટે મુનિઓએ આગમ તરફ આદરભાવ રાખવે. પરલોક સંબંધી ઘણું હકીકત જાણવામાં પ્રાયેકરી શાસ્ત્ર ઉપગી છે, એટલે શાસ્ત્ર આધાર ભૂત છે માટે નજીકભવી–હળ કમી જવાને તેમાં પરમ આદર હોય છે. પૈસા મેળવવા અને કામવાસના -તૃપ્ત કરવા, જીવે ઉપદેશ આપ્યા વિના પણ પ્રાચે કરીને પ્રવૃત્તિ કરે છે. પણ ધર્મ માર્ગમાં પ્રવૃત્તિને ઉપદેશ વિના નથી કરતા. આ ઉપદેશ કેવળજ્ઞાનીઓના પરોક્ષ કાળમાં તેમના કહેલાં શાસ્ત્રોથી મળે છે, માટે શાસ્ત્ર તરફ પૂજ્યભાવ રાખવો તે હિતકારી છે. જે અર્થ અને કામમાં પ્રવૃત્તિ કરવામાં ન આવે તો તે મનુષ્યને બનેની પ્રાપ્તિ થતી નથી પણ જે ધર્મમાં પ્રવૃતિ કરવામાં ન આવે તે અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી. અને વિશેષમાં અનર્થની-દુઃખની પણ પ્રાપ્તિ થાય છે. માટે ધર્મના અથી જીવોએ શાસ્ત્ર ભણવામાં તથા શ્રવણ કરવામાં નિરંતર પ્રયત્ન રાખો. આ મેહથી અધિકારરૂપ બનેલા જગમાં શાસે પ્રકાશ કરનારાં છે. આત્મભાન જાગ્રત કરનારાં છે. માયારૂપ રંગને શાંત કરવામાં શાસ્ત્ર ઔષધ તુય છે. દ્રવ્યનું કારણ પણ શાસ્ત્ર - છે, શાસ્ત્ર સર્વગત ચક્ષુ કળીકાળમાં છે, અને સર્વ અર્થનું સાધક શામ છે. મનુષ્યને આ શાસ્ત્ર તરફ ભક્તિ નથી