________________
* ૧૪૭ પિતાની મેળે આ માર્ગે ચાલેલા હોય છે, માટે તેમને સ્વયં બુદ્ધ કહે છે. જે સ્વયં બુદ્ધ થાય છે તે સર્વને પાછલા જન્મનું જ્ઞાન હોય છે જ; અને તેથી તેમને સમ્યક્ દર્શન પણ પ્રગટેલું હોય છે. જે તેઓને પાછલા જન્મનું પૂર્વનું ભણેલું જ્ઞાન હોય છે તે તેને દેવે સાધુને વેશ રજોહરણ મુહપતિ આદિ આપે છે, જે પૂર્વનું જ્ઞાન ન હોય અને નવું ભણવાનું હોય છે તો ગુરૂની પાસે જાય છે અને ગુરૂ તેને વેશ આપે છે. સાધુના વેશમાં રજોહરણ, મુહપત્તિ એક ઉનનું અને બે સુતરનાં કપડાં અને પાત્ર આટલું હોય છે. તેઓ એકલા પણ રહે છે અને સાધુઓના સમુદાયમાં નવીન જ્ઞાન ભણવા માટે અથવા પોતાની ઈચ્છાથી પણ રહે છે. પૂર્વજન્મનું જ્ઞાન હોવાથી ધર્મ કર્મના ફળાનો અનુભવ તેમને પ્રત્યક્ષ થયેલા હોય છે એટલે જ્ઞાન ધ્યાનમાં આગળ વધી આત્માને ઉજવળ કરવાને–આત્માની બધી શક્તિઓ પ્રગટ કરવાને પ્રબળ પુરૂષાર્થ અપ્રમત્તપણે રહીને તેઓ કરે છે.
પ્રત્યેક બુધ્ધ. બહારનું કઈ પણ કારણ દેખીને તે ઉપરથી સંસાર ની અનિત્યતા જાણુને બેધ પામે તેને પ્રત્યેક બુધ્ધ કહે છે. જેમ કરડુ રાજાએ પ્રથમ બહુજ સુંદર અને બળવાન વૃષભને જોયો હતો. તેજ વૃષભને લાંબા દિવસે જરાથી જર્જરીત રૂપવિહીન ગળી ગયેલ શરીર વાળે જોઈને પ્રતિબોધ પામ્યા; પિતાના શરીરની પણ ભાવી એવી જ