________________
નથી. કારણને નાશ થવા પછી કોઈ પણ સ્થળે કાર્ય ઉત્પન્ન થતું નથી.
કેઈ સંપ્રદાયવાળા જ્ઞાનને પ્રકૃતિને ધર્મ માને છે, તેને ઉદ્દેશીને જણાવવામાં આવે છે કે બુદ્ધિમાને! જ્ઞાન એ પ્રકૃતિને ધર્મ નથી, કેમકે પ્રકૃતિ એ અચેતન છે. અચેતન પ્રકૃતિમાં કોઈપણ સ્થળે કેઈપણુકાળ જ્ઞાન રહેલું દેખાતું નથી. જ્ઞાન ચેતન રૂપે છે તે જડ પ્રકૃતિને વિકાર હોઈ શકે જ નહિ.
કે સંપ્રદાયવાળા મિક્ષમાં જ્ઞાન હેતું નથી પણ જ્ઞાન નાશ પામે છે એમ માનનારાઓએ વિચારવું જોઈએ કે સેનાને મેલ નાશ થવાથી કાંઈ સોનાપણુને નાશ થતો નથી તેમ નિર્વાણ પામેલા આત્માના ઉપરથી પુન્ય પાપ રૂપ કર્મના આવરણે નાશ પામે છે પણ તેથી કાંઈ જ્ઞાનને નાશ થતો નથી. જે જ્ઞાનાદિ ગુણે પક્ષમાં ગયેલ આત્મામાં ન હોય તે આત્માની વ્યવસ્થા જ રહી શકતી નથી. કેમકે વસ્તુનું લક્ષણ દૂર થતાં લય કોઈપણ સ્થળે નિરાધાર રહી શકતું નથી. જ્ઞાન એ આત્માનું લક્ષણ છે તે નાશ પામતાં લક્ષ્ય રૂપ આત્મા રહી શકે જ નહિં. માટે મોક્ષ અવસ્થામાં કર્મોની માફક જ્ઞાનગુણુને નાશ થત નથી. હા એટલી વાત ધ્યાનમાં છે કે પ્રકૃતિના વિકારવાળા રાગ દ્વેષથી મલિન જ્ઞાન જેને અજ્ઞાન રૂપે આગળ - વર્ણવામાં આવ્યાં છે તે તથા ક્ષાપશમિજન્ય જ્ઞાન એ