________________
મોક્ષમાં હોતાં નથી પણ આત્મા શુદ્ધ સ્વભાવ રૂપ જ્ઞાનની હૈયાતિ તો મેક્ષમાં હાયજ છે. તે જ્ઞાન ન હોય તે આ ત્માપણું નજ હોય.
પ્રયત્ન વિના મુકત ન થવાય. જેમ કેદખાનામાં પડેલે અપરાધી મનુષ્ય પુરૂષાર્થ રૂપ ઉપાય કર્યા વિના મુક્ત થતો નથી તેમ વિવિધ પ્રકારના જડ ચૈતન્યના, બંધ પક્ષના જ્ઞાનને જાણવા છતાં તેના નિવારણ માટે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે વર્તન કરવા રૂપ ઉપાય કર્યા વિના કર્મથી બંધાયેલે આત્મા મુક્ત થઈ શકતા નથી, પણ જે મનુષ્ય આત્મા અને કર્મના ભિન્ન "ભિન્ન લક્ષણે વડે બનેના ભેદને સમજીને શુદ્ધ આત્મતત્વમાં સ્થિરતા કરવા રૂપ ઉપાય કરે છે તે આત્મા કર્મોથી મુક્ત થાય છે. આ ઉપરથી એ વાત સ્પષ્ટ કરી બતાવી કે કર્મોથી મુક્ત થવાને ઉપાય કેવલ જ્ઞાન જ નથી પણ તે જ્ઞાનની સાથે આત્મા સ્વરૂપે–આત્માકારે પરિણમી રહવા રૂપ ક્રિયા કે જે બંધનથી મુક્ત થવા ઉત્તમોત્તમ ઉપાય છે તે પણ સાથે કરવાની જરૂર છે.
સેનું એક જાતનું હોવા છતાં જેમ વ્યવહારી લોકો તેને શુદ્ધ અશુદ્ધની અપેક્ષાએ બે પ્રકારનું કહે છે કે આ સેનું શુદ્ધ છે, આ સેનું અશુદ્ધ છે. તેમ આત્મા તે તેને તે એક હોવા છતાં આ શુદ્ધ આત્મા છે, આ અશુદ્ધ આત્મા છે. એમ શુદ્ધ અશુદ્ધની અપેક્ષાએ આત્માને બે પ્રકારને લેકે કહે છે,