________________
૧૩૬
હુથીયાર તુટી જાય છે, તેમ શરીર રૂપ હથીયાર નિર્માલ્યનિર્બળ હોવાથી તેના માપ પ્રમાણે તે સહન કરી શકે તેટલે પુરૂષાર્થ કરવામાં આવે તે તે સફળ થાય છે, જે વધારે પડતા પ્રમાણમાં મહેનત કરવામાં આવે તે શરીર કામ કરતું અટકી જાય છે, અને અંતે આગળ જઈ પાછા પડવા જેવું પરિણામ આવે છે, માટે જ જ્ઞાનીઓ કહે છે કે વજારૂષભ નારા સંઘયણવા જેવી મજબુતાઈ વાળા શરીર દ્વારા એજ મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે, તેના અભાવે બીજા સંઘયણવાળા શરીર વડે મોક્ષ મળતું નથી. એ ઉપરથી કહેવાનો આશય એ છે કે જેમ મેક્ષ મેળવવામાં બીજાં સાધને ઉપયોગી છે, તેમ શરીર પણ તેટલુંજ ઉપયોગી સાધન છે, છતાં મનુષ્યએ હિંમત હારવાકાંઈ કારણ નથી. આ શરીર દ્વારા મોક્ષ પ્રાપ્ત ન થાય તે પણ એક ભવ કરીને મોક્ષ પ્રાપ્ત થાય તેવું એકાવતારી પણું અત્યારે મેળવી શકાય છે, છેવટે બે પાંચ દશ કે પન્નર ભવે પણ મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે, માટે છેવટના સંઘયણ વાળા શરીર વડે પણ પુરૂષાર્થ કરવામાં કચાશ ન રાખવી. કે મનુષ્ય ઉતાવળે ચાલે અને કોઈધીમો ચાલે, કોઈ સિધે સરલ રસ્તે થઈને જાય અને કેાઈ વાંકા ચકરાવા વાળા રસ્તે થઈને જાયે, આમ ગતિ અને માર્ગમાં ફેર હોવા છતાં-ભિન્નતા હોવા છતાં પણ પહોંચવાનું સ્થા
તો એકજ છે. કરવાનું કાર્યરતે એકજ છે, અને તે સર્વ શુભાશુભ કર્મનો ક્ષય કરીને નિર્વાણ સ્થાન મેક્ષ પદ પા...