________________
૧૨૨ અને દર્શન સ્વભાવે બધા પદાર્થને જોશે, જે બધા પદાર્થને જાણે અને દેખે તે સર્વજ્ઞ અને સર્વદર્શી કહેવાય. જે મેરૂ આદિ પદાર્થોના સામાન્ય વિશેષ સ્વભાવને આત્મા ન જાણે તે આત્મા જ્ઞાન સ્વભાવ કહેવાયજ નહિ. તેથી એ વાત સિદ્ધ થાય છે કે આત્મા જ્ઞાન સ્વભાવ હોવાથી સર્વજ્ઞ અને સર્વદશી છે. બધું જાણે અને બધું દેખે છે સર્વજ્ઞ અને સર્વદશી હોવાથી આત્માને કેવળ જ્ઞાન છે. તે કેવળ જ્ઞાનથી સામાન્ય પદાર્થની માફક આત્મા ભૂતકાળમાં થઈ ગયેલા, વર્તમાનકાળમાં ગમે તેટલા દૂર પદાર્થ હાય-યા સૂમ હાય અને ભવિષ્યમાં તે પદાર્થોના પર્યાયમાં જે વિશેષ ફેરફાર થવાનું છે તે સર્વ વિશેષને પણ જાણે છે. એટલે દેશ, કાળ અને ભાવથી જે જે પદાર્થો-દ્રવ્યો દૂર કે નજીક રહેલા હોય તેનું. પણ સ્પષ્ટતાથી વિશેષ જ્ઞાન આત્માને થાય છે.
અઘાતિ કર્મના ક્ષયથી મોક્ષ. આ કેવલજ્ઞાની શુક્લ ધ્યાન રૂપ શસ્ત્ર વડે વેદની, આયુષ્ય, નામ અને ગોત્રકર્મ એ ચારે કર્મને એકી સાથે છેદીને નિર્વાણ પામે છે. - જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાર્તિકર્મ કહેવાય છે કેમકે તે ક આત્માના ગુણને ઘાત કરનારાં–દબાવી રાખનારાં છે તે ચાર કર્મને