________________
૧૧૨
અને આત્માની શાંતને મુકાબલ–સરખામણું કરી જેવી તેથી સંસારની અસારતા સમજાયા વિના રહેશે નહિં.
અંતરંગ લાગણીવાળા હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર અને અસંતેષ રૂપ પાંચ પાપોથી જીવ બંધાય છે તેજ પાપને જે અંતરંગ લાગણમાંથી બહાર કાઢવામાં આવે તો તે પાપે જીવને બાંધી શકતાં નથી.
જે પાસે હોય તે અપાય. જે મનુષ્ય જ્ઞાનની આરાધના કરે છે તેને જ્ઞાનજ્ઞાન આપે છે. જે અજ્ઞાનની આરાધના કરે છે તેને અજ્ઞાન અજ્ઞાન આપે છે. વાત ખરી છે કે જે પોતાની પાસે વિદ્યમાન-હેયાત હોય તે જ અપાય છે.
જ્ઞાન અને જ્ઞાનમાં ભેદ નથી. જ્ઞાન અને જ્ઞાનીમાં ભેદ બીલકુલ નથી કેમકે જ્ઞાનને જાણવાથી જ જ્ઞાની કહેવાય છે. વ્યવહાર દ્રષ્ટિએ જ્ઞાન ગુણને જ્ઞાની ગુણ–એમ ભેદ કહેવાય છે પણ તાવિક દષ્ટિએ વિચાર કરતાં જ્ઞાન તેજ જ્ઞાની છે અને જ્ઞાની તેજ જ્ઞાન છે. કેમકે ગુણ અને શુનો અભેદ સંબંધ છે તે જુદાં પડતાં નથી, એટલે જ્ઞાનનું જ્ઞાન થતાં જ્ઞાની આત્માનું જ્ઞાન અવશ્ય થાય છે.