________________
૧૧૪ છે. દુખથી ભય પામેલા મનુષ્ય જેમ દુઃખનાં નિમિત્તોને રાજી ખુશીથી ત્યાગ કરે છે, તેમ આત્મતત્વમાં સુખ માનનારા મનુષ્યો વિષને દુઃખદાઈ જાણીને રાજીખુશીથી ત્યાગ કરીદે છે. સેનાને શુદ્ધ કરનાર જેમ શુદ્ધ સુવર્ણ મેળવે છે અને લોઢાને શુદ્ધ કરનાર શુદ્ધ લેતું મેળવે છે તેમ જ્ઞાનને શોધનાર જ્ઞાન મેળવે છે અને અજ્ઞાનને શોધનાર અજ્ઞાન મેળવે છે. આરિસાની અંદર મનુષ્યાદિની સંગતથી તેવું પ્રતિબિંબ દેખાય છે તેમ નિર્મળ ચતન્યમાં કર્મની સોબતથી પ્રતિબિંબ રૂપે મોહ દેખાય છે. દર્પણ શુદ્ધ હોય છે તેમાં વાસ્તવિક રીતે પ્રતિબિંબ હેતું નથી છતાં તે દર્પણની નજીકમાં કઈ મનુષ્ય પશુ પક્ષી કે વસ્તુ સામી આવવાથી તેમાં તેવું પ્રતિબિંબ પડે છે, તેમ તાત્વિક દષ્ટિએ આમા નિર્મળ છે પણ સંગ સંબંધે કર્મની ઉપાધિ આવવાથી–તેના સંગથી આત્મામાં મેહ દેખાઈ આવે છે. વાસ્તવિક રીતે આત્મામાં તેવું કાંઈ નથી અને મેહ એ આત્માનું વાસ્તવિક સ્વરૂપ પણું નથી, તે તે દર્પ મણમાં પડેલા પ્રતિબિંબની માફક આગંતુક છે; બાહારથી આવેલ છે, જે આવે છે તે જઈ પણ શકે છે.
વાસના તેવું ફળ, જે આ જીવને ધર્મ વડે વાસિત કરવામાં આવશે તે જીવન ધર્મમાં પ્રવૃત્તિ કરશે, પાપમાં પ્રવૃત્તિ નહિં કરે, પણ જે તેને પાપ વડે વાસિત કરવામાં આવશે તે તે