________________
૧૧૦ પરદ્રવ્યને પણ જાણવું જોઈએ, જે પરદ્રવ્યને જાણતા નથી તે આત્મદ્રવ્યને ગ્રહણ કરી શકતા નથી. ખરાબ પદાર્થોની હૈયાતિને લીધે જ સારા પદાર્થની કિંમત થઈ શકે છે. દુઃખ છે તે સુખની અધિકતા સમજાય છે. દુ:ખદાઈ પદાર્થો છે તે જ સુખદાઈ પદાર્થની ઈચ્છા કરે છે. પરદ્રવ્ય અહિતકારી છે એમ જાણવા પછી જ આત્મા હિતકારી છે તે તરફ પ્રવૃત્તિ કરી શકાય છે. જ્યાં સુધી આ પરદ્રવ્યના સ્વરૂપને જીવ જાણું કે સમજી શકો નથી ત્યાં સુધી આત્મદ્રવ્ય તરફ જીવ પ્રવૃત્તિ કરી શકતું નથી.
જગતૂને સ્વભાવ વિચારે. પદ્રવ્યથી વિરક્ત થવા અને સ્વતત્વ તરફ પ્રેમ રાખવા માટે તથા સર્વ કર્મોથી છુટા થવા અર્થે આ જગતના સ્વભાવને વિચાર કરો એગ્ય છે.
પદાર્થોની અનિત્યતા, જીની અશરણુતા, સંસારની વિવિધતા, કરેલ કર્મોનું જીવને એકલાને ભેગવવાપણું, દેહ આત્માની ભિન્નતા, શરીરની અશુચિતા, કર્મને આવવાના માર્ગો, કમને આવતાં અટકાવવાના ઉપાય, આત્માથી કર્મને અલગ કરવાના પરિણામે વિગેરેનો વિચાર કરે, જન્મ, મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિઓની વિષમતા, અને પાંચ ઈન્દ્રિયેના વિષયના વિરસપણાને વિચાર કરે. તે પછી આ સંસારના સુખને