________________
કર્મબંધ આધકાર. ૪. જેમ દુધમાં પાણી મળે છે, જેમ લોઢામાં અગ્નિમળે છે તેમ ક્રોધાદિ કષાય અને મનવચન કાયાની શક્તિ વડે જે પુદ્ગલે જીવે ગ્રહણ કર્યા છે તે આત્માના સર્વ પ્રદેશની સાથે મળીને રહે છે, તેને કર્મબંધ કહે છે. કર્મ પુદગલ રૂપ છે, તેમાં રૂપ રસ ગંધ સ્પર્શ વિગેરે છે. જે વખતે કમેને યોગ્ય પગલાની સાથે ક્રોધાદિ કષાય અને મનાદિ ચેનો સંબંધ થાય છે તે વખતે તે પુદગલે કર્મરૂપે પરિણમી જાય છે અને આત્મ પ્રદેશની સાથે એક રસ થઈને રહે છે, આને બંધ કહે છે. આ બંધથી જીવ કર્મને આધિન થઇ જાય છે.
આ બંધ ચાર પ્રકારે છે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. પ્રકૃતિબંધ એટલે કર્મનો સ્વભાવ ૧. સ્થિતિબંધ એટલે એ કર્મ ટકી રહેવા માટેની કાળની મર્યાદા શુભાશુભ અધ્યવસાયથી ગ્રહણ કરેલાં કર્મની દલીયાં. તે કેટલા વખત સુધી ભેગવવાં પડે તેનો નિશ્ચય ૨, કર્મનાં પુદ્ગલેને શુભ કે અશુભ અથવા ઘાતિ કે અઘાતિપણાવાળે, જે રસ તે રસબંધ ૩. સ્થિતિ તથા રસની અપેક્ષા વિના કર્મયુગલનાદલીયાનું ગ્રહણ કરવું તે પ્રદેશબંધ અથવા કર્મ અને આત્માના પ્રદેશે આપસમાં મળી રહે તે પ્રદેશને સમૂહ તે પ્રદેશબંધ. ૪. કર્મની સ્થિતિ, કર્મને. રસ અને કર્મના પ્રદેશ-દલીયાં એ ત્રણ બંધને જે સમુ