________________
નિશ્ચય દ્રષ્ટિએ આત્મા અરૂપિ છે એટલે જેમ અરૂપિ આકાશમાં તલવાર મારવાથી આકાશ કપાતું નથી તેમ અરૂપિ આત્મા પણ મરતો કે કપાત નથી, સુખી દુખી થતા નથી, તેને કોઈ બચાવતું કે પીડા કરતું નથી, છતાં વ્યવહાર દ્રષ્ટિએ કહેવાય છે કે અમુક મરી ગયે, અમુકને મારી નાખે, જીવાડ, સુખી કર્યો કે દુઃખી કર્યો, સુખી છે કે દુઃખી છે. આ સર્વ વ્યવહાર મનાય છે.
સંસારી જીવને શરીરના સંબંધથી કર્મ બંધાય છે અને તે કર્મ દ્વારા વ્યવહાર દ્રષ્ટિએ જીવ મરે છે, સુખી દુઃખી થાય છે. મરાય છે, જીવાડાય છે, સુખી દુઃખી કરાય છે. એ બધું બને છે. કોઈ જીવ કેઈને કાંઈ આપતું નથી એ પણ અપેક્ષાએ બરાબર છે. જે કર્મમાંથી આ ફળો પેદા થાય છે તે કર્મો તે જીવે પોતે જ બાંધેલાં છે. તે ઉદય આવતાં તેમાંથી સુખ દુ:ખ જીવન મરણ પ્રગટ થાય છે. બીજા જો તેમાં નિમિત્ત કારણ થાય છે પણ તાત્વિક દ્રષ્ટિએ જે વિચાર કરવામાં આવે તે તે જીવ તેના પોતાનાં કરેલાં કર્મોથીજ સુખી અને દુખી થાય છે. આ આપેક્ષા, એજ કહેવામાં આવે છે કે “ એક જીવ બીજા જીવને મારી કે જીવાડી શકતે નથી, સુખી કે દુઃખી કરી શકતો નથી.’
આ જીવમાં એટલી બધી અજ્ઞાનતા છે કે જેને લઈને તે માને છે કે હું જ બીજાને મારીશ, મેંજ બીજાને માર્યો, મેં અમુકને જીવાડ, હું અમુકને જીવાડું છું, અથવા જીવા