________________
તેમ તેની ઉત્પત્તિ પણ થતી નથી. આત્માના પર્યામાં શૈણ મુખ્યતા બને છે પણ સર્વથા ઉત્પત્તિ કે સર્વથા નાશ બનતે નથી એ કહેવાનો આશય છે.
શરીર, ઈન્દ્રિયે, દ્રવ્ય, વિષય, વૈભવ, સ્વામી, સેવક એ સર્વ મારો છે તેમ વ્યવહારે કહેવાય છે પણ તવથી કહેવાય નહિં, જે તત્વથી–નિશ્ચયથી તે શરીરાદિ જીવના હોય તો તે આત્માથી જુદાં હોવા ન જોઈએ, તેમજ શરીરાદિમાં અને આત્મામાં ભેદ હા પણ ન જોઈએ. આ ભેદ તે પ્રત્યક્ષ દેખાય છે માટે શરીરાદિ આત્માનાં નથી એ તાત્વિક દષ્ટિ છે.
આ પ્રમાણે જેઓ રવાપર દ્રવ્યને જાણીને સ્વદ્રવ્યને પણે અને પરદ્રવ્યને પરપણે સદા માને છે તે આત્મતત્તવમાં રક્ત થયેલે ચોગી સંવર કરે છે, અર્થાત્ આવતાં કર્મને અટકાવી શકે છે. દ્રવ્યપર્યાયની અપેક્ષાએ ફલના ભક્તાની વિવિધતા.
એક જીવ કાંઇક શુભ કે અશુભ કર્મ કરે છે અને તેનું ફળ બીજો ભેગવે છે એમ બનતું નથી. જે જીવ શુભાશુભ કર્મ કરે છે તે જ જીવ તેનું ફળ ભોગવે છે. આ અને વાતે અપેક્ષાએ સાચી છે. તે અપેક્ષા આ પ્રમાણે છે. એક મનુષ્ય મનુષ્ય શરીરના પર્યાયરૂપે રહીને પુન્ય કરે છે અને દેવના પર્યાય રૂપે રહીને તેનું ફળ દેવ ભગવે છે. અહી પર્યાયની મુખ્યતા છે. આત્મ દ્રવ્યની અપેક્ષાએ