________________
છે, ત્યાંથી પાછું ખેંચી લાવીને આત્મામાં એકાગ્રહ કરવાથી -આત્માના જ્ઞાન દર્શન ચારિત્રગુણમાં જોડી દેવાથી કર્મની નિરા થાય છે.
બાહ્ય પરિગ્રહ ધન ધાન્ય સ્ત્રી પુત્રાદિ, અત્યંતર પરિગ્રહ રાગદ્વેષાદિ આ બંને પ્રકારની ગ્રંથીને ત્યાગ કર-નાર, લોકાચારથી પરાક્ષુખ થનાર–લોકાચારની દરકાર ન કરનાર, ઈન્દ્રિોને વશ કરનાર અને મનને સંકલ્પ વિકલ્પના -વ્યાપાર રહિત બનાવનાર મનુષ્ય સર્વ કર્મોને ધોઈ નાખે છે.
શુભ અશુભ અને શુદ્ધ એમ ત્રણ પ્રકારના ભાવ–લાગણીઓ છે, તેમાંથી જે મનુષ્ય પ્રથમની શુભાશુભ બે લાગણીઓને ત્યાગ કરી છેલ્લી શુદ્ધ લાગણું ધારણ કરે તેનાં કર્મ ક્ષય થાય છે. શુભ ભાવથી પુન્યબંધ, અશુભ ભાવથી–પરિણામથી પાપને બંધ એને વિશુદ્ધ પરિણામથી નિર્મળતા થાય છે. જેઓનાં પરિણામ શુભાશુભ હોય છે તે પુન્યપાપ ઉપાર્જન કરી ચાર ગતિમાં ભ્રમણ કર્યા કરે છે, પણ વિશુદ્ધ ભાવથી કર્મની નિજ રા કરી મોક્ષ પ્રાપ્ત કરે છે.
શુદ્ધ આત્મતત્વને જાણ્યા વિના બાહ્ય તપ કરવાથી કે અત્યંતર તપ કરવાથી કર્મની નિજ થતી નથી. શુદ્ધ આત્મતત્તવને જાણ્યા પછી જ બાહા કે અત્યંતર તપ કરવાથી કમની નિર્જરા થાય છે. તેજ તપ જે અજ્ઞાન પૂર્વક કરવામાં આવે તે પુન્ય કર્મને બંધ થાય છે, તપ કરનારાઓએ