________________
છે, ત્યાંથી પાછું ખેંચી લાવીને આત્મામાં એકાગ્રહ કરવાથી --આત્માના જ્ઞાન દર્શન ચારિત્રગુણમાં જોડી દેવાથી કર્મની નિર્જરા થાય છે.
બાહા પરિગ્રહ ધન ધાન્ય સ્ત્રી પુત્રાદિ, અત્યંતર પરિગ્રહ રાગદ્વેષાદિ આ બન્ને પ્રકારની ગ્રંથીનો ત્યાગ કરનાર, લોકાચારથી પરામુખ થનાર–લોકાચારની દરકાર ન કરનાર, ઇન્દિને વશ કરનાર અને મનને સંકલ્પ વિકલ્પના -વ્યાપાર રહિત બનાવનાર મનુષ્ય સર્વ કર્મોને ધોઈ નાખે છે.
શુભ અશુભ અને શુદ્ધ એમ ત્રણ પ્રકારના ભાવ– લાગણુઓ છે, તેમાંથી જે મનુષ્ય પ્રથમની શુભાશુભ બે લાગણીઓને ત્યાગ કરી છેલ્લી શુદ્ધ લાગણી ધારણ કરે તેનાં કર્મ ક્ષય થાય છે. શુભ ભાવથી પુન્યબંધ, અશુભ ભાવથી–પરિણામથી પાપને બંધ એને વિશુદ્ધ પરિણામથી નિર્મળતા થાય છે. જેઓનાં પરિણામ શુભાશુભ હોય છે તે પુન્યપાપ ઉપાર્જન કરી ચાર ગતિમાં ભ્રમણ કર્યો કરે છે, પણ વિશુદ્ધ ભાવથી કર્મની નિજ રા કરી મોક્ષ. પ્રાપ્ત કરે છે.
શુદ્ધ આત્મતત્વને જાણ્યા વિના બાહી તપ કરવાથી કે અભ્યતર તપ કરવાથી કર્મની નિર્જરા થતી નથી. શુદ્ધ આત્મતત્વને જાણ્યા પછી જ બાહ્ય કે અત્યંતર તપ કરવાથી કમની નિર્જરા થાય છે. તેજ તપ જે અજ્ઞાન પૂર્વક કરવામાં આવે તે પુન્ય કર્મ બંધ થાય છે, તપ કરનારાઓએ