________________
હર
શરીરમાં ઇન્દ્રિયા ઉત્પન્ન થાય છે, તે ઇન્દ્રિયાદ્વારા વિષયે ગ્રહણ કરતાં રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, તે રાગદ્વેષથો કર્મોના સંગ્રહ થાય છે, તે કર્માંના સગ્રહથી જીવ સૌંસારમાં પરિ ભ્રમણ કરે છે. તે પરિભ્રમણ કરવામાં અનેક દુઃખ પ્રાપ્ત થાય છે, માટે દુ:ખ ભાગવવાની જેમની ઈચ્છા ન હેાય તેમણે કષાયેાના ત્યાગ કરવા. કષાયા ત્યાગવાથી આવતાં કર્મો બંધ થાય છે, અને આવતાં કર્મો અટકવાથી પરિણામે માક્ષની પ્રાપ્તિ થાય છે.
જેને સજીવ નિર્જીવ કે મિશ્ર વસ્તુમાં રાગાદિ હાય છે, પછી તે રાગાદિ પ્રશસ્ત હેાય કે અપ્રશસ્ત હૈાય—સારા રાગાદ્રિ હાય કે નઠારા હેાય, તેથી સારા કે નઠારા રિામ થાય છે. તે સારા પરિણામનું ફળ પુન્ય અને ખરાખ પિરણામનું ફળ પાપરૂપ આવે છે. આ બન્ને મૂળ પુન્ય અને પાપરૂપ પુદ્ગલનાં બનેલાં છે, મૂર્તિમાન છે અને સુખ દુ:ખ
આપનાર છે.
સંસારી જીવાને એક આવા સ્વભાવ હાય છે કે પુત્ર સ્ત્રી મિત્ર સ્વજન સંબધી આદિ સજીવ વસ્તુ; વસ્ત્ર, ધન, સુવર્ણાદિ અજીવ વસ્તુ, અને સુવર્ણાદિ સહિત સ્રી આદિ તે મિશ્ર ઇત્યાદિ અનુકૂળ વસ્તુને પામીને તેમાં રાણ કરે છે, ત્યારે પાતાને પ્રતિકૂળ શત્રુ, કાંટા, કાંકરા, ટાઢ, તાપ, રાહ આદિમાં દ્વેષ કરે છે, આ ઇષ્ટા નિષ્ટમાં રાગદ્વેષ કરવાનું રિણામ એ આવે છે કે તે નિમિત્તે જીવ પુન્ય પાપના અધ