________________
હક
ભાવ સંવર છે, તે કષાયે રેકવાથી કષા દ્વારા આવતા કર્મ આશ્રવનું જે રોકવું થાય છે તેને દ્રવ્ય સંવર કહે છે. કષાવાળી મન વચન શરીરની શુભ કે અશુભ પ્રવૃત્તિ કરવા વડે જે કર્મો આવે છે તે આશ્રવ છે. તે આશ્રવને રેકવા તે સંવર છે. ભાવ રૂપ કષાયને રોકવા તે ભાવ સંવર છે, અને તે કષાયે રેકવાથી જે કર્મ દ્રવ્યનું આવવું બંધ થાય છે તે દ્રવ્ય સંવર છે. કષાયથી કર્મ આવે છે અને કર્મથી કષાયે ઉત્પન્ન થાય છે માટે કર્મ અને કષાય -બનેને નાશ થવાથી આત્માની પૂર્ણ શુદ્ધિ પ્રગટે છે. કષાય -તે ભાવ કર્મ છે અને કર્મ તે દ્રવ્ય કર્મ છે. દ્રવ્ય કર્મ અને ભાવ કર્મને આપસમાં બીજ અને વૃક્ષ જે અન્ય અન્ય ઉત્પન્ન કરવાનો સંબંધ છે. વૃક્ષ પહેલું કે બીજ પહેલું ત કહી શકાતું નથી, તેમ દ્રવ્ય કર્મ પહેલાં કે ભાવ કર્મ પહેલાં તે કહી શકાય તેવું નથી, છતાં વૃક્ષને નાશ થવાથી આગળ ઉપર તેની પરંપરા ચાલતી નથી તેમ કષાય અને કર્મનો નાશ થવાથી તેની આગળ વધતી પરંપરા નાશ પામે છે, અને તેથી આત્માની પરમ વિશુદ્ધ પ્રગટ થાય છે. કષાચેથી કલુષિત–મલીન થયેલ જીવ પર દ્રવ્ય–જડ માયામાં પ્રવૃત્તિ કરે છે. પરદ્રવ્યમાં પ્રવૃત્તિ કરતાં આત્મજ્ઞાન દબાય છે–આત્મ શક્તિને હાની પહોંચે છે. આત્મબોધની હાની થતાં મિથ્યાવની વૃદ્ધિ થાય છે, માટે કર્મ બંધના કારણે રૂપ કષાયોને અવશ્ય ત્યાગ કરે.