________________
જીવને લઈ જનારા છે. આ પરિણામેનો ત્યાગ કરનારાજ કર્મમળ રહિત થઈ શુદ્ધ આત્માને પ્રગટ કરી મેક્ષમાં જાય છે.
વિષય સુખથી પાછા હઠવાની આત્મ કલ્યાણ કરવાની ઈરછાવાળાઓને ઘણી જરૂર છે, કેમકે વિષય વાસનાથી. ચિત્તમાં ચંચળતા ઉત્પન્ન થાય છે. જ્યારે પરિણામની નિશ્ચ- *
તા થાય છે ત્યારે આત્મ સ્વરૂપમાં સ્થિરતા થાય છે, જ્યાં સુધી આત્મામાં નિશ્ચળતા થતી નથી ત્યાં સુધી વારંવાર જન્મ મરણ આપનાર પુન્ય પાપની કર્તવ્ય પણાની. બુદ્ધિને આ જીવ ત્યાગ કરી શકતું નથી, જ્યાં સુધી પુન્ય પાપને ત્યાગ કરાતા નથી ત્યાં સુધી કર્મબંધ ચાલુ રહે છે અને જ્યાં સુધી કર્મબંધ ચાલુ રહે છે ત્યાં સુધી મહાન શાંતિ દાયક મેક્ષની પ્રાપ્તિ થતી નથી, માટે મોક્ષની ઈચ્છા વાળા એ વિષય તરફની પ્રવૃત્તિ પ્રથમ બંધ કરવી. અને આત્મસ્વરૂપમાં સ્થિર થવું..
ઇતિ બંધ અધિકાર સમાપ્ત .
સંવર અધિકાર. ૫. કર્મોને આવવાના માંને રેકવા તે સંવર કહેવાય છે. આ સંવરના બે ભેદ છે એક દ્રવ્ય સંવર બીજો ભાવ સંવર. ક્રોધાદિ કષાયોને રિકવા–ઉત્પન્ન થવા ન દેવા તે.