________________
પા.
બીજું કઈ મળી જાય તે જરૂર રાજાને ખરી હકીક્ત માલુમ પડી આવે અને આ મુસદ્દી પુરૂષોની જાળને તે -તોડી નાખે પણ એ પ્રસંગે રાજાને તેના જીવનમાં ભાગ્યે
જ આવે છે, તેમ મોહ રાજાએ પણ આ મિથ્યાત્વ, અનેક પ્રકારની ઈચ્છાઓ, ક્રોધાદિકષાયો અને મન વચન શરીર -આદિ પિતાના માણસેને આત્મદેવની–આત્મારૂપી મહારાજાની આસપાસ ગોઠવી દીધાં છે, જાળ બીછાવી છે અને એ જાળમાં આત્માને સપડાવ્યું છે. જે તેને એકલે મૂકવામાં આવે તે જરૂર ધર્મ રાજાના વિવેક, સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર, ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ, ત્યાગ, વૈરાગ્ય, ઈચ્છા નિરાધ, સમિતિ, ગુપ્તિ આદિ સુભટો આવીને તેનાં બંધને તોડી નાખે અને દુખમાંથી મુક્ત કરે, આત્મભાન જાગૃત કરાવે અને તેની દબાઈ ગયેલી અનંત શક્તિઓ પ્રગટ કરાવે, પણ આ સર્ભાગ્યને દિવસ કયાંથી પ્રગટે કે એવા સમર્થ સદગુરૂના શરણે જઈને કર્મના પાશથી આત્મા છુટા થવા પ્રયત્ન કરે.
જેમ પ્રજવલંત સૂર્યને મેઘમંડળ ઢાંકી દે છે તેમ જીવને મલીન કર્મો આચ્છાદિત કરે છે. કમ બે પ્રકારના છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મ. કર્મ સ્વરૂપે પરિણમેલ પુદ્ગલ પિંડ તે દ્રવ્યકર્મ. દ્રવ્યકર્મનાં ફળ તે ભાવકર્મ. જ્ઞાનાવરણ આદિ આઠ કેમ તે દ્રવ્ય કર્મ છે. અને રાગ દ્વેષ કોધાદિ તે ભાવકર્મ છે. આ બન્ને પ્રકારના કર્મોથી જીવ ઢંકાયેલા છે. જેમ સરેવરમાં નીક દ્વારા પાણું આવીને એકઠું થાય છે તેમ કષાય