________________
થાય છે તેને અનુભવ તે હવે આ જીવને આગળ થાય છે. પૂર્વના પુન્યબળે કાંઈક પાંચ ઈન્દ્રિયોના વિષયે, માન સત્કાર અનુકૂળ સંગો મળે છે તે તેમાં આ જીવ પિતાને મેટાઈ અને કૃત્ય કૃત્ય માની બેસે છે.હજી આત્મમાગના સમુખ તેણે એક ડગલું પણ ભર્યું હોતું નથી, છતાં આ વસ્તુને મિથ્થા સંગ્રહ, અને તેમાં મારા પણાની માન્યતા, અનેક પ્રકારની ઈચ્છાઓ, વિવિધ કષાની ઉક્ટતા અને મન વચન શરીરની શુભાશુભ પ્રવૃત્તિ આ બધાં કર્મબંધનનાંજ કારણે છે. આ કારણે જેમ જેમ આ જીવ સેવતો જાય છે તેમ તેમ તેનામાં મેહનો વધારો થાય છે. સત્ય સમજતો ન હોવાથી અજ્ઞાન વધે છે. આવા ઘેર કર્મના આશ્રવમાં ડુબેલા જીવને ઉદ્ધાર થતું નથી.
આ કર્મ નિતદ્રવ્ય મારાં છે, અને હું તેમને છું. આવી બુદ્ધિ જ્યાં સુધી નિવૃત્ત ન થાય ત્યાં સુધી તેનામાંથી મિથ્યાત્વ જતું નથી, કેમકે આ કર્મથી પ્રાપ્ત થતાં દ્રવ્ય જડ છે, તેમાંથી હું અને મારાપણાની બુદ્ધિ ન જાય ત્યાં સુધી આત્મદષ્ટિ આવે જ નહિં. આ પ્રથમનીજ ભૂલ છે, કે જે વસ્તુ પિતાની નથી તેમાં જીવે પોતાપણું માર્યું છે. આજ ભૂલે હજારો ભૂલ કરાવી છે, જ્યાંથી ભૂલ ખાધી છે ત્યાં સુધી પાછા વળવાની જરૂર છે. તે પછી જ માગ હાથમાં આવે છે. આ દેહ આદિને હું માલીક છું, આ વસ્તુઓ મારી માલીકીની છે, ભવિષ્યમાં તેને માલીક હુંજ
૪