________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેનકુમારના મનમાં વિષેણ પ્રત્યે સ્નેહ હતો, “વિષેણ ભલે મારો પિતરાઈ ભાઈ થાય, પરંતુ મારા સગા ભાઈ જેવો જ છે.” વિષેણ પ્રત્યે જરાય દુર્ભાવ ન હતો. તે સદેવ વિષેણ માટે સારા જ વિચાર કરતો હતો.
૦ ૦ ૦ મહારાજા હરિપેણે, રાણી તારપ્રભાને કહ્યું: “દેવી, હવે આપણે સેનકુમારનાં લગ્ન કરી દઈએ.”
હું પણ પુત્રવધૂને જોવા આતુર છું!' “મોટા આડંબર સાથે કુમારને રાજપુર મોકલીએ, સાથે મહામંત્રી અમૃતને પણ મોકલીએ.”
આપની વાત ઉચિત છે.' ‘સાથે સેના પણ મોકલશો ને?' ‘સેનાપતિ યોગેશની સાથે એક હજાર અશ્વારોહી મોકલવા વિચારું છું.”
“બરાબર છે નાથ! કુમારના લગ્નમાં કોઈ વાતે અધૂરાશ ન રહે અને નિર્વિઘ્ન પરણીને પાછો આવે, મારો કુમાર, એટલે બસ!'
રાણી કોઈ કમી નહીં રહેવા દઉં ભવ્ય આડંબર સાથે જાન જશે.' સેનકુમારને બોલાવીને, મહારાજાએ લગ્ન માટે રાજપુર જવાની વાત કરી. મહામંત્રી સુશ્રુત અને સેનાપતિ યોગેશને બોલાવીને, પણ વાત કરી. પ્રયાણની તૈયારીઓ થવા લાગી. મહારાજા અને મહારાણી પણ ઉચિત માર્ગદર્શન આપવા લાગ્યાં.
સેનકુમારે પ્રીતમસિંહને વાત કરી. પ્રીતમસિંહ આનંદથી નાચી ઊઠયો. તેણે પણ પોતાની તૈયારીઓ આરંભી દીધી. ચંપાથી રાજપુરનું અંતર ૩૦૦ માઈલ જેટલું હતું. અંદાજે ૧૫ દિવસનો રસ્તો હતો.
કુમારના માટે, રાણીના આગ્રહથી સુંદર રથ તૈયાર થતો હતો. કુશળ કારીગરો રથ બનાવતા હતા. પાછા વળતાં શાન્તિમતી પણ રથમાં કુમાર સાથે બેસી શકે, તેવો રથ બનતો હતો.
રાજજ્યોતિષીએ સેનકુમારના પ્રયાણનું મુહૂર્ત આપ્યું હતું. શુભ દિવસ આવી ગયો. સમગ્ર ચંપાનગરીને સજાવવામાં આવી હતી. શેરીઓમાં માનવમહેરામણ ઊભરાયો હતો. કુમારને અભિનંદન અપાતાં હતાં.
સહુથી આગળ વાજિંત્રો વાગી રહ્યાં હતાં. તે પછી પ00 અશ્વારોહી સૈનિકો ચાલી રહ્યા હતા. સૈનિકોને માથે લાલ-સોનેરી રંગનો સાફો બાંધેલો હતો. દરેકની કમર ઉપર લાલ મ્યાનની તલવાર લટકી રહી હતી. ડાબા હાથમાં ભાલો શોભી ૧૦૮
ભાગ-૩ ૦ ભવ સાતમો
For Private And Personal Use Only