________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ મહિનાનું સંયમપાલન કરનાર શ્રમણ, અસુરેન્દ્રકુમાર દેવોની સુખલેશ્યાને ઉલ્લંઘી જાય છે.
આ ચાર મહિનાનું સંયમપાલન કરનાર શ્રમણ, જ્યોતિષ્ક દેવોની (ગ્રહ-નક્ષત્રતારા) સુખલેશ્યાને ઉલ્લંઘી જાય છે.
પાંચ મહિનાનું સંયમપાલન કરનાર શ્રમણ, ચંદ્ર-સૂર્યની સુખ-લેશ્યાને ઉલ્લંઘી જાય છે.
આ છ મહિનાનું સંયમપાલન કરનાર શ્રમણ, સૌધર્મ અને ઇશાન દેવલોકના દેવોની સુખ-લેશ્યાને ઉલ્લંઘી જાય છે.
સાત મહિનાનું સંયમપાલન કરનાર શ્રમણ, સનકુમાર તથા માહેન્દ્ર દેવલોકના દેવોની સુખ-લેશ્યાને ઉલ્લંઘી જાય છે.
આઠ માસનું સંયમપાલન કરનાર શ્રમણ, બ્રહ્મલોક અને લાંતક દેવોની સુખલેશ્યાને ઉલ્લંઘી જાય છે.
છે નવ માસનું સંયમપાલન કરનાર શ્રમણ, મહાશુક અને સહસ્ત્રાર દેવલોકના દેવોની સુખ-લેશ્યાને ઉલ્લંઘી જાય છે.
જે દસ માસનું સંયમપાલન કરનાર શ્રમણ, આરણ અને અય્યત દેવલોકના દેવોની સુખ-લેશ્યાને ઉલ્લંઘી જાય છે.
અગિયાર માસનું સંયમપાલન કરનાર શ્રમણ, રૈવેયક દેવલોકના દેવોની સુખલેશ્યાને ઉલ્લંઘી જાય છે.
બાર માસનું સંયમપાલન કરનાર શ્રમણ, અનુત્તર દેવલોકના દેવોની સુખલેશ્યાને ઉલ્લંધી જાય છે.
ત્યાર પછી ઉત્તમોત્તમ શુક્લ-લેશ્યાવાળો બની, એ શ્રમણ મુક્તિ પામે છે, બુદ્ધ બને છે, સર્વ દુઃખોનો અંત કરે છે. આ રીતે, હે મહાનુભાવ, સંયમ-અનુષ્ઠાન દુઃખરૂપ નથી, સુખરૂપ છે, આ વાત સમજવી.' ઇન્દશર્માના મનનું સમાધાન થયું.
૦ 0 0 ઉપદેશ-શ્રવણ કરવા આવેલા ચિત્રાંગદ' નામના વિદ્યાધરે વિનયપૂર્વક પ્રશ્ન પૂણ્યો:
હે ભગવંત, કયા જીવો, કેટલા પ્રકારવાળું, કયું અને કેટલી સ્થિતિવાળું કર્મ બાંધે છે?” સમરાદિત્ય ભગવંતે કહ્યું:
હે ચિત્રાંગદ, ગુણસ્થાનકોની ભૂમિકાએ હું તને તારા પ્રશ્નનો ઉત્તર આપું છું. તું એકાગ્ર ચિત્તથી સાંભળ: ૧૨
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only