________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગિરિણા મંદિરની ચારે બાજુ ચક્કર મારવા લાગ્યો.
સમરાદિત્ય ક્યાં બેસે છે. ક્યાં સૂવાના હશે એમની પાસે ક્યાંથી જવાય? મારીને ભાગી કેવી રીતે શકાય...” વગેરે વિચારો કરવા લાગ્યો. એમ કરતાં કરતાં સંધ્યા થઈ ગઈ. ગિરિપેણે પોતાની યોજના વિચારી લીધી. દૂર પડેલા એક પથ્થર પર છરીની ધાર પણ કાઢી લીધી.
ગિરિપેણને ખબર ન હતી કે એની બધી જ હિલચાલની, એક વ્યક્તિ ખબર રાખી રહ્યો હતો. એના તરફ એક મુનિ શંકાની દૃષ્ટિથી જોઈ રહ્યાં હતાં. ગિરિણ સમરાદિત્ય તરફ વારંવાર જોઈને, દાંત ભીંસતો હતો – એ પણ જોયું હતું.. ને દૂર જઈ પથ્થર પર છરી ઘસતો હતો, એ પણ જોયું હતું. એ હતા મુનિ અશોક. કસાયેલું યુવાન શરીર હતું અશોકમુનિનું. તેઓ સાવધાન થઈ ગયા.
આજે રાત્રે જરૂર કોઈ ઘટના બનશે!” એમ સમજી, ગુરુદેવ સમરાદિત્યના પડછાયા બનીને, રહેવા લાગ્યાં. મધ્યરાત્રિનો સમય થયો. મહામુનીર નિદ્રાધીન હતા,
પાસેના થાંભલાને ટેકો દઈ, અશોકમુનિ દરવાજા તરફ સતર્ક બનીને, જોઈ રહ્યાં હતાં. મંદિરના એ ભાગમાં અંધારું હતું. દરવાજો ખુલ્લો હતો. બારણાં હતાં જ
નહીં.”
ત્યાં બારણામાં એક ચહેરો ડોકાયો. એણે અંદર નજર કરી લીધી. બધાને ઊંઘતા જોયા. તે અંદર આવી ગયો... જરાય અવાજ ન થાય તે રીતે, સમરાદિત્ય તરફ સડસડાટ ચાલ્યો આવ્યો. અશોકમુનિ થાંભલાની પાછળ છુપાઈને ઊભા રહ્યાં.
સમરાદિત્યના સંથારા પાસે ગિરિષેણ આવી ગયો, તેના હાથમાં છરી હતી.... સમરાદિત્યના શરીર પર છરીનો ઘા કરવા જેવો હાથ ઉગામ્યો કે પાછળથી અશોકમુનિએ હાથ પકડીને, મરડી નાખ્યો. બીજો હાથ ગિરિપેણના ગળા ફરતો ભીંસી દીધો...
એક
ક
|
૧૪૪૭
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only