________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશાળ મુનિર્વાદ સાથે અવધિજ્ઞાની મહર્ષિ સમરાદિત્યે ધારાનગરીથી વિહાર કરી દીધો. રાજાએ અને પ્રજાએ અશ્રુભીની વિદાય આપી.
એ જ દિવસે, સાધ્વી સુવ્રતાએ સાધ્વી સમુદાય સાથે, દશપુરનગર તરફ વિહાર કરી દીધો. નૂતન સાધ્વીઓ ચિંતામણિ વગેરે સાધ્વીસમુદાય સાથે જ વિહાર કરી દીધો. તેઓ સહુ દશપુર થઈને, ઉજ્જૈની જવાનાં હતાં.
મહર્ષિ સમરાદિત્ય એક એક ગામમાં, એક એક દિવસ રોકાતાં આગળ વધતાં હતાં. તેઓ “કદંબ નામના એક નાના ગામની બહાર મહાકાલના મંદિરમાં એક વિશાળ ભૂમિભાગ પર રહેલાં હતાં. એ મંદિરના બાહ્ય ભાગમાં મોટા પ્રમાણમાં ગાયો - ભેસો બાંધેલી હતી. ત્યાં જે કોઈ ગાયો-ભેંસો મરી જતી, તે મરેલી ગાયોભેંસોને લઈ જવાનો કરાર, ઉજ્જૈનીના ચંડાળ ગિરિષણનો હતો. એ ગિરિર્ષણ પણ મહાકાલના મંદિરે આવ્યો હતો. એને એ દિવસે બે ગાયોના મૃતદેહ લઈ જવાનાં હતાં. તેની સાથે તેના બે સાથી ચંડાળ પણ આવ્યાં હતાં. ગિરિણે, મહર્ષિ સમરાદિત્યને જોયા. એના ચિત્તમાં પડેલી વેરભાવના સળવળી. એ જોતો જ રહ્યોમહર્ષિને.. વેરભાવના ધીરે ધીરે પ્રબળ બનતી ગઈ. “આ સાધુને હું મારી નાખ્યું. એક જ છરીનો પ્રહાર કરી દઉં...' આ દુષ્ટ વિકાર જાગ્યો, પરંતુ તેણે આજુબાજુ સેંકડો સાધુઓને જોયા. એ સાધુઓમાં જેમ વૃદ્ધ, કુશ અને નબળા શરીરના સાધુઓ હતાં, તેમ યુવાન અને હૃષ્ટપુષ્ટ શરીરવાળા સાધુઓ પણ હતાં. આ બધાની વચ્ચે સમરાદિત્ય પર છરીનો પ્રહાર કરવો મુશ્કેલ હતો. તેણે થોડી વાર વિચાર કર્યો... જાણે કે એને ઉપાય જડી ગયો હોય તેમ તે હસી પડ્યો.. ને નાચવા લાગ્યો. તેના સાથી ચંડાળોએ પૂછયું:
ગિરિપેણ, કેમ નાચે છે? બસ, કામ થઈ ગયું.” પણ કર્યું કામ?' “મારા દુમનને મારવાનું.' કોણ છે? અહીં તારો દુશ્મન?' ‘પેલો સાધુ..!” સમરાદિત્ય તરફ દૂરથી આંગળી ચીંધી.... “એ મહાત્મા તારા દુશ્મન છે? શું બગાડવું છે તાર?' ‘બગાડ્યું તો કાંઈ નથી... પણ હું એને જોઉં છું.... ને મારું લોહી તપી જાય છે...' “ચાલ, આપણે કાંઈ કરવું નથી, મરેલા પશુઓને લઈ ઘરભેગા થઈ જઈએ...”
કાલે સવારે જઈશું... આજે રાત્રે આનું કામ પતાવી દેવું છે...” બંને સાથીને ગિરિષણની વાત ના ગમી. તેઓ મંદિરની પાછળની ભીંતે છાંયડામાં જઈને બેઠાં.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૪૫
For Private And Personal Use Only