________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ નારકમાં તલવારો, ચક્રો, વાંસલાઓ, ભાલા, ત્રિશૂળ વગેરે શસ્ત્રો હોય છે.
છે ત્યાં બધું જ ખરાબ, દુર્ગધમય અને અશુચિમય હોય છે. આવી ભયંકર નરકાવાસવાળી નારકીઓમાં, જીવો પ્રચંડ પાપ કરીને, ઉત્પન્ન થાય છે.
હે મહાનુભાવો, નારકીના જીવોનો રંગ કાળો હોય છે.
જ પીંછા વિનાનાં કબૂતર જેવો એમનો દેખાવ હોય છે, એમને જોતાં અતિ ત્રાસ ઉત્પન્ન થાય, તેવા અતિ કાળા વર્ણવાળા હોય છે. ભયંકર દેખાવ હોય છે એ જીવોનો. આ નારકીના જીવો ત્યાં હંમેશા ભયભીત રહે છે. નિત્ય ત્રાસ પામે છે અને બીજા જીવોને ત્રાસ પમાડે છે. સદૈવ ઉદ્વેગવાળા અને ભયભીત રહે છે. હે દેવી, નારકના જીવોની ભયાનક વેદનાઓ સાંભળીને તું ગભરાઈ જઈશ. છે તેઓનાં ક્રૂરતાથી મસ્તક કાપવામાં આવે છે. છે તેમના શરીરને કરવતથી કાપવામાં આવે છે. કે તેમને શૂળી પર ચઢાવી વીંધી નાખવામાં આવે છે. છે તેમની જીભ છેદી નાખવામાં આવે છે.
તેમના અંગોપાંગ કાપી નાખવામાં આવે છે. છે તે જીવોને તાંબા-સીસાના ઊકળતા રસ પીવડાવવામાં આવે છે.
છે તે જીવો પર વજમુખી હિંસક પશુ-પક્ષીઓને છોડવામાં આવે છે. એ પશુપક્ષીઓ એ જીવોને પીંખી નાખે છે.
નારકીના જીવોના શરીરના ટુકડા કરી, બલિ આપવામાં આવે છે. રાક્ષસી જાનવરો ઘોર કર્થના કરે છે. તીક્ષ્ણ છરીઓથી શરીરને છોલી નાખવામાં આવે છે. જ લાલચોળ તપેલા થાંભલાઓ સાથે ભેટાડવામાં આવે છે.
ચારે બાજુ તીક્ષ્ણ શસ્ત્ર ગોઠવી, વચ્ચે નારકીના જીવોને ઊભા રાખી, એમના ઉપર સળગતી પથ્થરશિલાઓ પાડવામાં આવે છે. જીવો મૂચ્છિત થઈ, જમીન પર ઢળી પડે છે.
હે રાણી, આ સિવાય પણ શીત... ઉષ્ણ વગેરે અનેક વેદનાઓ જીવને ત્યાં સહવાની હોય છે.'
નર્મદારાણીએ કહ્યું: “ભગવંત, આપે મારા પર કૃપા કરી, નરકનું વર્ણન સંભળાવ્યું. હવે એવા ઉપાય બતાવવાની દયા કરું કે મારે નરકમાં જવું જ ના પડે.” ઉપs
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only