Book Title: Samaraditya Mahakatha Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 469
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાં બીજી રાણી સુલસમંજરીએ વિનયથી પૂછ્યું: “હે ભગવંત, મેં એવાં પાપ નથી કર્યા કે નરકમાં જવું પડે... પરંતુ હું તો દેવલોક-સ્વર્ગલોક અંગે જાણવા ઇચ્છું છું. દેવોનાં ઘર કેવાં હોય? દેવો કેવા હોય? ત્યાં સુખ કેવા પ્રકારનાં હોય? આ બધું મારે જાણવું છે...” કેવળજ્ઞાની સમરાદિત્ય મહર્ષિ બોલ્યા: “હે સૌમ્ય, દેવોનાં ઘર વિમાન' કહેવાય છે. એ વિમાનો ભિન્ન ભિન્ન આકારવાળાં હોય છે. સ્વચ્છ હોય છે. સુંવાળા હોય છે. ચકચકિત હોય છે. રજ વિનાનાં હોય છે. ડાઘ વિનાનાં હોય છે, કઠણ હોય છે. જોતાં જ આસ્લાદ ઉત્પન્ન થાય, તેવાં હોય છે, છે એ વિમાનો રત્નમય હોય છે. છે એ વિમાનો જોવાલાયક, મનોરમ, નયનાભિરામ હોય છે. છે એ વિમાનો ક્ષેમ કરનારાં, કલ્યાણ કરનારાં હોય છે. એ વિમાનોની રક્ષકદેવો રક્ષા કરતાં હોય છે. છે એ વિમાનોનાં દરેક દ્વારની બંને બાજુ ઉપરા-ઉપર ચઢઊતર ગોઠવેલા ચંદન-કળશો હોય છે. ચંદનનાં બનાવેલાં સુંદર કોતરણીવાળાં તોરણો હોય છે. જ એ વિમાનોમાં વિવિધ વર્ણની સુંદર પુષ્પમાળાઓ લટકાવેલી હોય છે. ઉચિત જગ્યાઓ પર પંચવર્ણનાં સુગંધી છૂટાં પુષ્પોના ગુચ્છ ગોઠવેલાં હોય છે. છે એ વિમાનોમાં ઉચિત સ્થાનો પર શ્રેષ્ઠ સુગંધી ધૂપઘટાઓ ઊઠતી હોય છે. યોગ્ય સમયે દિવ્ય વાજિંત્રોના મનોરમ સુંદર શબ્દો ગાજતાં હોય છે. એ દિવ્ય દેવવિમાનોમાં અસંખ્ય સુખસાઘનો રહેલાં હોય છે. હે ભદ્ર, હવે હું તને દેવોનું સ્વરૂપ સમજાવું છું: જ દેવોનું રૂપ અદ્ભુત હોય છે. જ તેઓના દેહ ઉપર મનોહર ચિહ્ન હોય છે. જ વિશાળ સમૃદ્ધિના તેઓ માલિક હોય છે. તેમના શરીરની કાન્તિ અદ્દભુત હોય છે. * તેઓ યશસ્વી, બળવાન અને પ્રભાવશાળી હોય છે. ગળામાં હાર, હાથ પર કડાં અને બાજુબંધ, કાને સુંદર કુંડળ અને માથે મુગટ પહેરતાં હોય છે. શ્રી સમરાદિત્ય મહાકથા ૧૪પ૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491